કોરોના સંકટમાં આર્થિક ગતિવિધિઓનું ઠપ રહેવું કોર્પોરેટ જગત માટે ભારે પડી રહ્યું છે. એક અનુમાન છે કે આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે અપ્રિલથી જૂન 3100 કંપનીઓને લગભગ 1 લાખ કરોડનું નુકસાન થયુ છે.
કોરોના સંકટ કોર્પોરેટ જગત માટે ભારે પડી રહ્યું છે
કંપનીઓએ મળીને 6911 કરોડ રુપિયાનું નુકસાન બતાવ્યું છે
એક લાખ કરોડથી વધારે નુકશાન થયું છે.
હકિકતમાં પહેલા ક્વાર્ટરમાં આ તમામ કંપનીઓએ કુલ મળીને 6911 કરોડ રુપિયાનું નુકસાન બતાવ્યું છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયમાં આ કંપનીઓને 95950 કરોડનો ફાયદો થયો હતો. આ રીતે એક લાખ કરોડથી વધારે નુકશાન થયું છે.
કોર્પોરેટ કંપનીઓ પહેલાથી જ પરેશાન હતી. કેમ કે તેમની આવક છેલ્લા 3 ક્વાર્ટરથી ઘટી રહી હતી અને કોરોના મહામારીના સંકટને હજું વધારી દીધું છે. સૌથી વધારે નુકસાન ખનન કંપનીઓને થયું છે. ખનન કંપનીઓની આવકમાં 48 ટકા અને ફાયદામાં 88 ટકા ઘટાડો આવ્યો છે.
આ પ્રકારના મૈન્યુફૈક્ચરિંગ કંપનીઓની આવકમાં 43 ટકા અને ફાયદામાં 67 ટકા ઘટો નોંધાયો છે. કન્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ કંપનીઓની કુલ આવકમાં 43.5 ટકા અને બિન નાણા રાજસ્વમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પહેલા ક્વાર્ટરમાં લગભગ 50 ટકા કંપનીઓએ પોતાના પરિણામમાં નુકસાન દર્શાવ્યું છે. લગભગ 25 ટકા પોતાની કમાણીમાં ઘણી નિરાશાનો સામનો કરવો પડ્યો છે . કેમ કે ગત વર્ષ જૂનના ક્વાર્ટરમાં તેમને ફાયદો થયો હતો.
કોરોના દરમિયાન આર્થિત ગતિવિધિઓ ઠપ હોવાના કારણે ડિમાન્ડમાં ઘટાડો નોંધાવાના કારણે ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે અનેક કંપનીઓની કમાણીમાં મોટું નુકશાન થયું છે. આ કંપનીઓની કુલ આવકમાં જૂન 2020ના સત્રમાં 38.2 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જૂન 2019માં આ ક્વાર્ટરમાં તેમની આવક 2.2 ચકા વધી હતી.