ગુજરાતમાં દબાતા પગલે આગળ ધપી રહેલું કોરોના સંક્રમણ;અમદાવાદમાં ડબલ ડીજીટમાં નોંધાયો સંક્રમણનો આંકડો,સતર્કતા હજુ પણ જરૂરી
અમદાવાદમાં આંકડો ડબલ ડીજીટમાં
વધી રહેલું કોરોના સંક્રમણ;સાવચેતી જરૂરી
રાજ્યમાં રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણકે, કોરોના સંક્રમણ નામશેષ થવા જઈ રહ્યો હતો. પરંતુ ગુજરાત તરફ નજર દોડાવતા કોરોનાએ બિલ્લીપગે પેસારો કરવાનું મુનાસીબ માન્યું હોય તેમ કેસની સંખ્યામાં વધારો થયો છે.અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોના સંક્રમણ કેસ 'ડબલ ડીજીટ'માં પહોચી ગયા છે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 કેસ સામે આવ્યા છે.
સરકાર તૈયાર;નાગરિકોની પણ જવાબદારી
રાજ્યમાં શાળા-કોલેજો શરુ કરી દેવામાં આવ્યા છે.ધોરણ 1 થી 5ના વર્ગો હજુ શરુ નથી કરવામાં આવ્યા રાજ્ય સરકારે ત્રીજી લહેર પૂર્વે જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે.આમ છતાં,કોરોના સંક્રમણ દબાતે પગલે વધતું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના 25 કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યા પણ 154 પહોચી છે.તો 7 જેટલા દર્દીઓ વેંન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે.કોરોનાને મહાત આપીને 20 જેટલા દર્દીઓ સજા થઇ પરત ઘરે ફર્યા છે.
8 લાખથી વધુ દર્દીઓ ડીસ્ચાર્જ
રાજ્યભરમાં અત્યાર સુધી કોરોનાને હંફાવીને લગભગ 8 લાખ, 15 હજાર 466 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.તો ગુજરાતમાં સજા થયેલા દર્દીઓનો સરેરાશ દર 98.76 ટકાએ પહોચ્યો છે.રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી એક પણ મોત નથી નોંધાયું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા 10082 દર્દીઓ છે.
ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં 25 કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 8,વડોદરામાં 3, ગીર-સોમનાથમાં 1,અને જામનગર-કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. તો રાજ્યભરમાં અત્યાર સુધીમાં 18 લાખ નાગરીકોએ રસીકરણનો લાભ લીધો છે