કોરોના વાયરસને લઇ બ્રિટનની ઇમ્પેરિયલ કોલેજ લંડનના પ્રોફેસર વેંડી બાર્કલીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઇ શકે છે. વેંડી બાર્કલીએ કહ્યું કે શ્વાસ છોડ્યાના એક કલાક બાદ પણ કોરોના વાયરસ હવામાં રહે છે. અને માત્ર સામાન કે કોઇ સપાટીથી જ નહીં પરંતુ હવાથી પણ સંક્રમણ ફેલાઇ શકે છે.
કોરોના વાયરસનો કહેર
ઇમ્પેરિયલ કોલેજ લંડનના પ્રોફેસરનો દાવો
હવાથી પણ ફેલાઇ શકે છે સંક્રમણ
ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર વેંડી બાર્કલીએ કહ્યું કે કોરોના વાયરસના નાના ડ્રોપલેટ પણ સંક્રમણ ફેલાવાની ક્ષમતા રાખે છે. જેના કારણે એ શક્યતા છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઇ શકે છે. લેબમાં કરાયેલી સ્ટડીથી જાણવા મળ્યું કે કોરોના વાયરસ એક કલાક સુધી હવામાં રહે છે.
WHOએ પણ સ્વીકારી હતી હવાથી કોરોના ફેલાવાની વાત
આપને જણાવી દઇએ કે, આ પહેલા WHOએ પણ કહ્યું હતું કે કોરોના વાયરસ હવાથી ફેલાય તે વાતને ફગાવી ન શકાય. ખાસ કરીને બંધ જગ્યા જ્યાં બહારથી હવા આવવાનો કોઇ રસ્તો નથી હોતો. તેવી જગ્યાએ હવાથી પણ કોરોના વાયરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. અને જો કોઇ સંક્રમિત કોઇ રૂમમાં હાજર હોય તો ત્યાં એસી દ્વારા પણ સંક્રમણ ફેલાઇ શકે છે.