ગઈકાલે ઉદ્ધવ ઠાકરેને સંબોધીને નારાયણ રાણેએ વિવાદિત નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું જ્યારે પ્રધાનમંત્રીને ચોર કીધા હતા ત્યારે ઠાકરે કયા હતા
મહારાષ્ટ્રમાં 'થપ્પડ' કાંડ પર રાજકારણ તેજ
મને કોણ હરવા ફરવાથી રોકી શકે છે દમ હોય તો આવી જાય :નારાયણ રાણે
પ્રધાનમંત્રીને ચોર કીધા હતા ત્યારે કયા હતા ઠાકરે : ભાજપ
શિવસૈનિકોએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કર્યો
ધરપકડના આદેશ પર નારાયણ રાણેની તીખી પ્રતિક્રિયા
નારાયણ રાણે સામેની ધરપકડના સમાચાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે 'હું એક સામાન્ય વ્યક્તિ છું, શું નાસિક કમિશનર રાષ્ટ્રપતિ છે જેમણે મારી ધરપકડનો આદેશ આપ્યો? દિલ્હીમાં પણ અમારી સરકાર છે. મને જોવા દો કે શિવસેનાનો આ ઉછાળો કેટલી દૂર સુધી જાય છે.મેં કોઈ ગુનો કર્યો નથી. મારી સામે કેસ નોંધવામાં આવ્યો છે, મને ખબર નથી. તે તમામ મીડિયામાં રાતથી શરૂ થયું કે અહીં ધરપકડનો આદેશ આપવામાં આવ્યો, અહીં કેસ નોંધવામાં આવ્યો, વગેરે. શું તે કેટલાક રાષ્ટ્રપતિ છે જેમણે મારી વિરુદ્ધ આદેશ લીધો? હું કેન્દ્રીય મંત્રી છું. જે મુખ્યમંત્રીને ખબર નથી કે દેશને કેટલા વર્ષે આઝાદી મળી, આ દેશનું અપમાન નથી? આ રાજદ્રોહ છે. આ સમગ્ર મામલે મને બદનામ કરવામાં આવ્યો છે, તેનાથી વિપરીત, હું કેસ દાખલ કરીશ. ' વધુમાં તેમણે કહ્યું હતું કે જોવું છું મને કોણ હરવા ફરવાથી રોકી શકે છે દમ હોય તો મારી ધરપકડ કરવા આવી જાય.
શિવસૈનિકોએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કર્યો
દરમિયાન રાણેના થપ્પડના નિવેદનને કારણે રાજ્યમાં શિવસેનિકો આક્રમક બની ગયા છે. નાસિકમાં ભાજપ કાર્યાલય પર શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો, તોડફોડ કરી અને રાણે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. નારાયણ રાણેના ઘરની બહાર પણ વિરોધ કરવા શિવસૈનિકોનો જમાવાડો ભેગો થયો છે, તો બીજી તરફ સાંગલીમાં રાણેનું સ્વાગત કરતા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. આનો જવાબ આપતા રાણેએ કહ્યું કે, 'શું આ શિવસેનાની મર્દાનગી છે? હું શિવસેનાથી ડરતો નથી.
નાસિક પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરવાનો આપ્યો છે આદેશ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. જે બાદ રાજનીતિ ગરમાઈ છે અને શિવસેના આક્રમક થઈ ગઈ છે. આ સાથે નાસિક પોલીસે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને વોરન્ટ જારી કર્યું છે. તો સામે નારાયણ રાણેના પુત્ર અને વિધાયક નિતેશ રાણેએ આરોપ લગાવ્યો છે કે રત્નાગીરી પાસે તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. પોલીસે અમને માર મારવાની ધમકી આપી છે.
#WATCH | Maharashtra: A group of Shiv Sena workers pelt stones at BJP party office in Nashik & raise slogans against Union Minister Narayan Rane.
The Union Minister and BJP leader had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/Y3A3cWZbTa
નારાયણ રાણે ઉદ્ધવ ઠાકરેને સંબોધી કહ્યું હતુ કે 'હું હોત તો થપ્પડ મારી દેત'
નારાયણ રાણેએ કહ્યું હતુ કે જો તેઓ ત્યાં હોત તો તેમને(સીએમ)ને જોરદાર થપ્પડ મારતા કેમ કે સીએમ 15 ઓગસ્ટે નાગરિકોને સંબોધન કરતા સમયે સ્વતંત્રતા વર્ષ ભૂલી ગયા હતા. તેમણે કહ્યું કે આ શરમજનક છે કે સીએમને સ્વતંત્રતા વર્ષ નથી ખબર, તે પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતા વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂક્યા હતા. જો હું ત્યાં હોત તો તેમને એક જોરદાર થપ્પડ મારતો.ગઈકાલે ઉદ્ધવ ઠાકરેને સંબોધીને નારાયણ રાણેએ વિવાદિત નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું જ્યારે પ્રધાનમંત્રીને ચોર કીધા હતા ત્યારે ઠાકરે કયા હતા, રાણેનું નિવેદન અંગત છે, પણ જ્યારે શિવસેનાએ પ્રધાનમંત્રીને ચોર કીધા હતા એનું શું?