કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડમાં ભીડ દ્વારા એક મુસ્લિમ યુવકની ચોરીની આશંકા પર જાહેરમાં ધોલાઇ કરવા પર ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ભીડ દ્વારા યુવકની ક્રુર હત્યા માનવતા પર એક ડાધ સમાન છે. સાથે જ રાહુલે બીજેપીને આડે હાથે લેતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તાકતવર લોકોની ચુપ્પી હેરાન કરનારી છે.
આપને જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા ભીડે તબરેજ અંસારી નામના યુવકની ચોરીના આરોપમાં ક્રુર રીતે માર માર્યો હતો. બાદ માં તેની પાસે જબરદસ્તી 'જય શ્રી રામ' અને 'જય હનુમાન' ના નારા લગાવડાવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું.
The brutal lynching of this young man by a mob in Jharkhand is a blot on humanity. The cruelty of the police who held this dying boy in custody for 4 days is shocking as is the silence of powerful voices in the BJP ruled Central & State Govts. #IndiaAgainstLynchTerrorpic.twitter.com/4MKvli1ohC
આ ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ઝારખંડમાં ભીડ દ્વારા યુવકની ક્રુર હત્યા કરવી માનવતા પર એક ડાઘ છે. 4 દિવસ સુધી યુવકની અટકાયત કરનાર પોલીસની ક્રુરતા ચોંકાવનારી છે કેમકે બીજેપી શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકારમાં શક્તિશાળી અવાજ ચુપ્પ છે.
આપને જણાવીએ કે, ઝારખંડમાં યુવકની ધોલાઇ બાદ હત્યા મામલે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ઉપરાંત તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.