Congress leader Kapil Sibal (File Photo/HT) Congress leader Kapil Sibal (File Photo/HT) INDIA NEWS ‘India needs resurgent Congress but…’: Kapil Sibal on crisis in party
નિવેદન /
દિગ્ગજ નેતાએ કોંગ્રેસને 'સત્તાની ચાવી' સોંપી કહ્યું, સત્તા પર આવવું હશે તો આટલું કરવું પડશે
કોંગ્રેસના સિનિયર લીડર કપિલ સિબ્બલે પાર્ટીને ખરાબ સમયમાંથી બહાર કાઢવાના કેટલાક ઉપાયો સૂચવ્યાં છે.
કોંગ્રેસના સિનિયર લીડર કપિલ સિબ્બલે સૂચવ્યા ઉપાયો
પાર્ટીને પાર્ટીને ખરાબ સમયમાંથી બહાર કાઢવાની મથામણ
દેશને હવે ફરી વાર કોંગ્રેસની જરુર છે
દેશમાં હાલમાં ભાજપનો કોઈ મજબૂત વિકલ્પ નથી
કોંગ્રેસ ધરમૂળથી ફેરફારો કરવા પડશે
દેશને હવે ફરી વાર કોંગ્રેસની જરુર છે
કપિલ સિબ્બલે કહ્યું કે દેશને હવે ફરી વાર કોંગ્રેસની જરુર છે પરંતુ તે પહેલા કોંગ્રેસે આંતરિક અને બાહ્ય સ્તરે ઘણા બધા ફેરફારો કરવા પડશે. હાલમાં ભાજપનો કોઈ વિકલ્પ નથી પરંતુ કોંગ્રેસ તે વિકલ્પ બની શકે છે. કપિલ સિબ્બલે જણાવ્યું કે પાર્ટી સંગઠનની ચૂંટણીઓ તત્કાળ થવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટા પાયે ફેરફારની જરુર છે. દેશમાં રાજકીય વિકલ્પનો અભાવ છે. તેથી હાલના સમયે એક મજબૂત અને ભરોસામંદ વિપક્ષની જરુર છે. કોંગ્રેસમાં અનુભવ અને યુવાનોની વચ્ચે એક સંતુલન બનાવવાની જરુર છે.
હાલમાં ભાજપનો કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી
કપિલ સિબ્બલે કહ્યું કે હાલમાં ભાજપનો કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ શાસનનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. દેશની હાલની સ્થિતિને જોતા કોંગ્રેસ એક વિકલ્પ રજૂ કરી શકે છે. ચૂંટણીઓમાં હારની સમીક્ષા માટે સમિતિઓ બનાવવી સારી વાત છે પરંતુ જ્યાં સુધી સૂચવવામાં આવેલા ઉપાયો પર અમલ ન થાય ત્યાં સુધી તેની કોઈ ખાસ અસર નહીં પડે.
નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર પાર્ટી છોડીને જઈ રહ્યાં છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા અને હવે જિતિન પ્રસાદ જેવા યુવાન નેતાઓના ભાજપમાં જોડાવાના સવાલ અંગે તેમણે કહ્યું કે અનુભવ અને યુવાનોની વચ્ચે સંતુલન બનાવવાની તત્કાળ જરુર છે. આયા રામ, ગયા રામની રાજનીતિ હવે પ્રસાદની રાજનીતિ સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે શું જિતિન પ્રસાદને ભાજપમાં પ્રસાદ મળશે. નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર પાર્ટી છોડીને જઈ રહ્યાં છે.
મજબૂત રાજકીય વિકલ્પની જગ્યા ખાલી
સિબ્બલે કહ્યુ કે હાલમાં નિશ્ચિત રીતે એક મજબૂત રાજકીય વિકલ્પની જગ્યા ખાલી છે. મેં આ સંદર્ભમાં પાર્ટીને કેટલાક સૂચનો આપ્યાં હતા જેનો અમલ કરવાથી એક મજબૂત અને વિશ્વસનીય વિપક્ષ બની શકે છે. પરંતુ તેનુ શું પરિણામ આવે તે અંગેની ભવિષ્યવાણી કરવા મારી પાસે કંઈ નથી. પરંતુ મને વિશ્વાસ છે કે એક સમય એવો આવશે કો જ્યારે આ દેશના લોકો એ નક્કી કરશે કે તેમને માટે શું સારુ છે.
સિબ્બલે કહ્યું કે ભારતને ફરી વાર કોંગ્રેસની જરુર છે અને પાર્ટીએ તેની ચૂંટણી રણનીતિ બનાવવા માટે સારા લોકોને કામે લગાડવા જોઈએ. તેનાથી તે સરકારની નિષ્ફળતા પર રણનીતિ તૈયાર કરી શકશે.