ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ ગુજરાતમાં કોરોના અંગે અનેક વખત સવાલ ઉઠાવી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતનમાં કોરોનાનો મૃત્યુ દર, ટેસ્ટ અને ગ્રામીણ વિસ્તારોમાં વાયરસના સંક્રમણ અંગે ફરી આક્ષેપ કર્યા છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવતા ટ્વિટ કર્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનો મૃત્યુ દર ખુબ ઊંચો 4.4 ટકા છે. શા માટે? પ્રથમ, કારણ કે ગુજરાતમાં પૂરતા ટેસ્ટ નથી કરવામાં આવી રહ્યા અને મોડાં ટેસ્ટ થાય છે. પોઝિટિવ દર્દીઓની ઓળખ કરવામાં વિલંબ થાય છે. આસામ, કેરળ, તામિલનાડુ, દિલ્હીમાં ગુજરાતની સરખામણીએ સમાન અથવા ઓછી વસ્તી છતા ટેસ્ટ વધારે થાય છે.
At 4.4%,Gujarat’s Covid19 mortality rate is very high
Why?
First,it is because Gujarat is not testing enough & testing late.There is a delay in identifying positive patients
Assam,Kerala,TN,Delhi-have similar or less population than Gujarat are conducting far more tests. 1/2
વધુ એક ટ્વિટ કરીને પટેલે કહ્યું કે, બીજું, સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયું છે જ્યાં પૂરતી સારવારની સુવિધાઓ નથી. જ્યાંના લોકોને મદદ માટે બીજા જિલ્લાઓની મુસાફરી કરવી પડે છે અને સંક્રમણ પછી આમ કરી રહ્યા છે. રાજ્ય સરકારે ખુલ્લા અને પારદર્શક રહેવાની જરૂર છે.
Second, the infection has spread to rural areas where adequate medical facilities are absent.
People have to travel to other districts for help and are doing so at later stages of the infection.
The state government needs to be open & transparent. 2/2
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અહેમદ પટેલે ટ્વિટ કરીને સવાલો કર્યા હતા કે, શા માટે ગુજરાત સરકાર કોરોનાના ટેસ્ટીંગ ઓછા કરી રહી છે? આ બાબત બહુ જ ખરાબ છે અને નેશનલ પોલિસીની વિરુદ્ધ છે. હાલ કોરોનાની પેન્ડિમિક સ્થિતિમાં સમસ્યાઓ સામે વળગી પ્રામાણિક રહેવું જરૂરી છે.