વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ જાહેર કરવામાં આવ્યું જેને લઈ કોંગ્રેસ અસહમતિ દર્શાવી કોંગ્રેસે પણ ઉમેદવાદનું નામ જાહેર કર્યું છે કોંગ્રેસે ઉપાધ્યક્ષ તરીકે આ નામ પર પસંદગી ઉતારી છે.
વિધાનસભા ઉપાધ્યક્ષની થશે ચૂંટણી
કોંગ્રેસે અનિલ જોશીયારાને મેદાને ઉતાર્યા
જેઠા ભરવાડ ભાજપ તરફથી પદના ઉમેદવાર
ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ જાહેર કરવામાં આવ્યું છે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ પર સહમતિ દર્શાવી છે પરતું ઉપાધ્યક્ષ તરીક જેઠા ભરવાડના નામ સાથે કોંગ્રેસ અસહમત હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભા ઉપાધ્યક્ષની થશે ચૂંટણી
ઉપાધ્યક્ષ તરીતે કોંગ્રેસે અનિલ જોશીયારાનું નામ જાહેર કર્યું છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉપાધ્યક્ષના નામ સાથે અસહમતી દર્શાવતા કહ્યું કે ભૂતકાળમાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળતું હતું, કમનસીબે વિતેલા વર્ષોમાં ભાજપે આ પ્રણાલી પુરી કરી છે, વિધાનસભાના અધ્યક્ષની નામની જાહેરાત પહેલા જ પરેશ ધાનાણીને કહ્યું હતું કે ભાજપ સત્તા પક્ષ તરીકે અધ્યક્ષ તરીકે જ નામ જાહેર કરે તેનું અમે સમર્થન કરીશું પરતું હવે અધ્યક્ષ પદનું નામ જાહેર કર્યા બાદ ઉપાધ્યક્ષ પદના નામને લઈ વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસે અનિલ જોશીયારાને મેદાને ઉતાર્યા
કોંગ્રેસે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે અનિલ જોશીયારાનું નામ જાહેર કર્યું છે જ્યારે ભાજપ દ્વારા જેઠા ભરવાડનું નામ આગળ કરાતા વિપક્ષે સત્તા પક્ષ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. મહત્વનું છે વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ પર પરેશ ધાનાણીએ સમર્થન આપ્યું છે તેવું મહેસુલ અને કાયદા મંત્રી તેમજ અગાઉ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જણાવ્યું છે.
જેઠા ભરવાડ ભાજપ તરફથી પદના ઉમેદવાર
અહીં ઉલ્લેખનીય કે ગુજરાતમાં વિધાનસભાના નવા અધ્યક્ષ નીમાબેન આચાર્ય બન્યા છે ગુજરાત વિભાનસભાની પદ પરથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું જે બાદ હવે નીમાબેન આચાર્યને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે, મહત્વનું છે કે આજે વિધાનસભાની મુખ્ય દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને નવા અધ્યક્ષની નિમણૂંક બાબતે સચિવને નીમાબેન આચાર્યનું નામ સોંપ્યું હતું જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામની પણ પસંદગી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ નીમાબેન આચાર્ય નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે મને વિધાનસભાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, વિધાનસભાની હુ પ્રથમ મહિલા અધ્યક્ષ બનીશ, મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભા ઉપાધ્યક્ષની થશે ચૂંટણી
હવે કોંગ્રેસ પણ વિધાનસભાની ઉપાધ્યક્ષના નામ પર કોંગ્રેસે અસહમતિ દર્શાવતા કોંગ્રેસ અનિલ જોશીયારાનું નામ જાહેર કર્યું છે તો ભાજપ જેઠા ભરવાડનું નામ આગળ કર્યું છે હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાનાર છે.