ભાજપના મહારાષ્ટ્રના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે ગુરૂવારે દાવો કર્યો છે કે કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો એક અઠવાડિયામાં ભાજપમાં જોડાઇ જશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષના દાવાને લઇને મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટા પક્ષપલટાના એંધાણ છે. જેના પર, એનસીપીએ પલટવાર કરતા કહ્યું કે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઢમાં ભ્રમ પેદા કરવા માટે આવું કહી રહ્યા છે. સરકારી વિશ્રામ ગૃહમાં પાટિલે પત્રકારોને કહ્યું કે આ અઠવાડિયામાં કોંગ્રેસ-એનસીપીના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપશે.
ભાજપ નેતા હાલમાં તે નેતાઓના નામ લેતા બચી રહ્યા છે જે પક્ષમાં સામેલ થવા જઇ રહ્યા છે. તેમણે આડકતરી રીતે કહ્યું કે જો હું નામ જાહેર કરીશ તો મજા ખરાબ થઇ જશે. જીવનની મજા અનિશ્ચિતતાઓમાં છે. એટલા માટે તે રહેવા દો.
પાટિલે બુધવારે કહ્યું કે કોઇ આના પર ચોંકે નહીં જો આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પાંચ કાર્યકારી અધ્યક્ષમાંથી એક ભાજપમાં સામેલ થઇ જાય.
વિધાનસભા ચૂંટણીલડવા માટે ઉમેદવાર નથીઃ મલિક
કોંગ્રેસે ગત શનિવારે બાલાસાહેબ થોરાટને રાજ્યના અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારે નિતિન રાઉત, બાસવરાજ એમ પાટિલ, વિશ્વજીત કદમ, યશોમતિ ચંદ્રકાંત ઠાકુર અને મુઝફ્ફર હુસૈનને રાજ્યના કાર્યકરી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ દાવા પર રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે પાટિલની ટિપ્પણીથી લાગી રહ્યું છે કે સત્તાપક્ષ પાસે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થનાર રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવા માટે પર્યાપ્ત ઉમેદવાર નથી એટલા માટે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એનસીપીમાંથી કોઇ જવાનું નથીઃ મલિક
મલિકે આ વાતનો પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો કે એનસીપીથી કોઇ પણ ભાજપમાં સામે થવા નથી જઇ રહ્યું. મલિકે કહ્યું કે તે વિપક્ષી ગઢમાં ભ્રમ ફેલવવા માંગે છે. તેમનો દાવો સાબિત કરે છે કે તેમની પાસે દાવેદાર નથી અને તે બીજા દળોમાંથી આને લાવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનસીપીમાંથી કોઇ જવાનું નથી.