કાગવડ ખોડલધામના પાટોત્સવના આયોજનને લઇને મૂંઝવણ, પાટોત્સવ યોજાશે કે નહી તેની આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત
ખોડલધામ પાટોત્સવના આયોજનને લઇ મૂંઝવણ
આવતીકાલે સત્તાવાર જાહેરાત કરાશે
આજે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળશે
રાજયમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે ત્રણ મોટા કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કાગવડમાં ખોડલધામ પાટોત્સવના આયોજનને લઇને મૂંઝવણ ઉભી થઇ છે. એક તરફ ખોડલધામ ટ્રસ્ટની 6 જાન્યુઆરીએ મળેલી બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે પાટોત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.31 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાશે તેમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ પાટોત્સવ કાર્યક્રમની પત્રિકા વાયરલ થતા મૂંઝવણ ઉભી થઇ છે કે પાટોત્સવ યોજાશે કે નહી ? કારણ કે પત્રિકામાં સ્પષ્ટ લખવામાં આવ્યુ કે કાર્યક્રમ રદ થયો નથી.
શું લખ્યુ છે પત્રિકામાં ?
ખોડલધામ પાટોત્સવની વાયરલ થયેલી પત્રિકામાં જણાવ્યુ છે કે હાલ મીડિયામાં વહેલા થયેલા સમાચારોને ધ્યાને ન લેવા. 21 જાન્યુઆરીએ પંચવર્ષીય પાટોત્સવ કાર્યક્રમ રાબેતામુજબ ચાલુ જ છે. જો કાર્યક્રમમાં કંઇ ફેરફાર હશે તો 8 જાન્યુઆરી બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં નિર્ણય લેવાશે તેની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાણ કરીશું.
તો શું પાટોત્સવ યોજાશે ?
ખોડલધામ પાટોત્સવના આયોજનને લઇને મૂંઝવણ ઉભી થઇ છે. કાર્યક્રમ વર્ચ્યુઅલ રાખવાની જાહેરાત બાદ પત્રિકા વાયરલ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે કાર્યક્રમને લઇને આજે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળશે. ત્યારબાદ 8 જાન્યુઆરીએ કોર કમિટીની બેઠક મળશે જે બાદ કાર્યક્રમ યોજાશે કે નહી તેના આયોજન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે મળનારી બેઠકમાં કાર્યક્રમ યોજવો જોઇએ કે નહી, જો યોજાય તો સ્થળ પર કે પછી વર્ચ્યુઅલી યોજવો આ બાબતે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે.
પાટોત્સવને લઇને તડામાર તૈયારીઓ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી આ મહોત્સવ યોજવા માટે સમગ્ર ખોડલ ધામ અને પાટીદાર સમાજ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.. ખુદ નરેશ પટેલ પણ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી, સમાજને એકત્રિત થવા નિમંત્રણ આપી આવ્યા હતા. પરંતુ, ત્રીજી લહેરની ભયાવહ આશંકાઓ અને વધતા સંક્રમણના કારણે કાર્યક્રમ થશે કે નહિ તે એક સવાલ છે.