છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓ માટે અતિ મહત્વના પગલા. જેના થકી જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે.અને લોકોમાં પણ જંગલી પ્રાણીઓનો ડર ઓછો થયો છે
વન વિભાગે જંગલમાં બનાવ્યા પાણીના સ્પોર્ટ
જંગલી પ્રાણીઓના હુમલામાં થયો ઘટાડો
માનવ વસાહત સુધી નથી આવતા જંગલી પ્રાણી
જંગલી પ્રાણીઓ હવે માનવ વસાહતો સુધી પહોંચવા લાગ્યા છે. તેમાં પણ ઉનાળા દરમિયાન માનવ વસ્તીઓ સુધી હિંસક પ્રાણીઓની લટારના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે.હિંસક પ્રાણીઓની લટારના કારણે લોકોમાં પણ ભયનો માહોલ બન્યો રહે છે.. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓ માટે અતિ મહત્વના કામ કરવામાં આવ્યા છે.. આ કામ એવા છે જેનાથકી જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે.. અને લોકોમાં પણ જંગલી પ્રાણીઓનો ડર ઓછો થયો છે..
અનોખી વ્યવસ્થા
જંગલ અને જંગલમાં વસતા પ્રાણીઓ આપણી ઓળખ અને ગૌરવ છે. આ બંને નહીં હોય ત્યારે આ પૃથ્વી પર માનવી પણ નહીં રહે. આપણે જાણીએ છીએ કે, ઘણા બધા પ્રાણીઓ આ દુનિયામાંથી લૂપ્ત થઈ ગયા છે.. અને ઘણા લૂપ્ત થવાને આરે છે. તેમાં પણ જંગલી પ્રાણીઓનું હવે માનવ વસાહતમાં ઘુસવું તેમના અસ્તિત્વ માટે જોખમી બન્યું છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે.. જેમાં જંગલી પ્રાણીઓ માનવ વસાહત સુધી ન પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે.. અને આ વ્યવસ્થા એટલે કે, પાણી. ઉનાળો આવતા જ જંગલમાં વાયા-વોકળા સુકાઈ જાય છે.. તેવામાં જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસાહત સુધી પહોંચી જાય છે.. અને માનવી પર હુમલાની ઘટનાઓ વધી જાય છે.. ત્યારે આ પ્રાણીઓ જંગલ છોડીની માનવ વસ્તી સુધી ન પહોંચે તે માટે જંગલમાં ઠેર-ઠેર વન વિભાગે પીવાના પાણીના કુંડ બનાવ્યા છે.. જેના કારણે પ્રાણીઓને પાણી પણ મળી રહે છે.. અને માનવ વસાહત સુધી જંગલી પ્રાણીઓ આવતા પણ અટકી ગયાં છે.
હિંસક પ્રાણીઓના હુમલા ઘટ્યા
મહત્વનું છે કે, જંગલ વિભાગની આ કામગીરીની જાણ થતા અમારી ટીમ ફોરેસ્ટ રેન્જમાં રિયાલિટી ચેક માટે પહોંચી હતી.. ત્યારે જોવા મળ્યું કે, સુકા જંગલમાં અને પહાડોની વચ્ચે અનેક જગ્યા પર વન વિભાગે વિશાળ કુંડ બનાવ્યા છે.. જેમાં વનકર્મીઓ ટેન્કર મારફતે. અને નજીકના વિસ્તારમાં પાઈપ લાઈન મારફતે પાણીના કુંડ ભરી રહ્યા છે. વન વિભાગની આ પહેલ એટલા માટે અસરકારક છે કારણ કે, શાકાહારી પ્રાણીઓને પાણી મળી રહેતા તે જંગલની બહાર નહીં આવે. બીજી તરફ માંસાહારી પ્રાણીઓને પણ આ કારણે પાણીની સાથે-સાથે જંગલમાં જ શિકાર મળી રહેશે.. તેવામાં શિકાર અને પાણી મળી રહેતા હિંસક પ્રાણીઓ જંગલની બહાર નહીં આવે. અને માનવ વસાહતો પર થતાં હુમલાઓ ઘટી જશે. હાલમાં વન વિભાગનો પ્રયાસ સફળ પણ સાબિત થઈ રહ્યો છે. કારણ કે, માનવ વસાહતો સુધી પ્રાણીઓનો આવરો-જાવરો ઘટ્યો છે.
મહત્વનું છે કે છોટા ઉદેપુર જિલ્લાના જંગલોમાં મોટેભાગે દીપડા, રીંછ અને ઝરખ જેવા શિકારી પ્રાણીઓ જોવા મળે છે. આ વન્ય પ્રાણીઓ દ્વારા વારંવાર હુમલાના બનાવો બનતા હતા. પરંતુ પાણીના કુંડ બની જતા અને નિયમિત તેમાં પાણી ભરવામાં આવતા જંગલી પ્રાણીઓના માનવી પરના હુમલામાં ઘટાડો થયો છે. ત્યારે વન વિભાગના આ કાર્યને વીટીવી ન્યૂઝ આવકારે છે. તેમની સરાહના કરે છે.