કર્ણાટક હિજાબ વિવાદને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યં કે, અમે વ્યક્તિગત આસ્થા અને પોતાની પસંદ-નાપસંદ કોઈના પર થોપી શકતા નથી.
યોગીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની સરકારના વખાણ કર્યા
દેશમાં સંવિધાન અનુસાર વ્યવસ્થા ચાલે છે
કોઈના પર પસંદ-નાપસંદ થોપી શકાય નહીં
કર્ણાટક હિજાબ વિવાદને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યં કે, અમે વ્યક્તિગત આસ્થા અને પોતાની પસંદ-નાપસંદ કોઈના પર થોપી શકતા નથી. તેમણે કહ્યુ કે, શું એવો આદેશ આપી શકે કે, ઉત્તર પ્રદેશમાં તમામ કર્મચારીઓ અથવા તમામ લોકો ભગવો ધારણ કરી શકે ? જો કે, સ્કૂલમાં ડ્રેસ કોડ લાગૂ થવો જોઈએ. તેમણે કહ્યુ કે, દેશની વ્યવસ્થા સંવિધાન અનુસાર ચાલે છે. અમે કોઈ દેશ અને સંસ્થાઓ પર વ્યક્તિગત આસ્થા લાગૂ નથી કરી શકતા. આ પ્રકારની વાત તેમણે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. આ સાથે જ સીએમ યોગીએ દાવો કર્યો કે, પ્રથમ તબક્કાના મતદાનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ યુપીમાં પ્રચંડ બહુમતની સરકાર બનાવશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, મતદારોએ અખિલેશ અને જયંતને ઠંડા કરી દીધા છે.
हमारी स्वयं की पसंद नापसंद देश के ऊपर लागू नहीं कर सकते, संस्थाओं के ऊपर लागू नहीं कर सकते।
क्या मैं उत्तर प्रदेश के अंदर सभी कर्मचारियों को या सभी लोगों को बोल सकता हूं कि आप भी भगवा धारण करें ? pic.twitter.com/NJp50hdFJP
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મતદાન બાદ સ્થિતી સ્પષ્ટ થતી જાય છે. મને વિશ્વાસ છે કે, ભાજપ પ્રદેશમાં પ્રચંડ બહુમતની સરકાર બનાવા જઈ રહી છે. તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય રાજનીતિનો એજન્ડા બદલી નાખ્યો છે. પહેલા અહીં જાતિ, ધર્મ અને પરિવારવાદ થતાં હતા. પણ આજે વિકાસ, સુશાસન, ખેડૂત અને નવજૂવાન, મહિલા અને ગરીબ પર ચર્ચા થાય છે. તો વળી તેમણે 80 વિરુદ્ધ 20 વાળા નિવેદન પર કહ્યું કે, મેં આ વાત એટલા માટે કહી હતી કારણ કે, 80 ટકા ભાજપની સાથે હશે અને 20 ટકા વિરોધ કરશે. મેં જાતિ, ધર્મની વાત કરી નથી. તેમણે કહ્યું કે, 80 ટકા લોકો હંમેશા સરકારના સારા કામના વખાણ કરે છે. 20 ટકા લોકો વિરોધ કરે છે.
છેલ્લા પાંચ વર્ષથી યુપીમાં એકેય રમખાણો થયાં નથી
સીએમ યોગીએ કહ્યું કે, કાયદાનો ડર એવા લોકોને હોવો જોઈએ, જે સુરક્ષા માટે ખતરો છે. તેમણે કહ્યું કે, પહેલા યુપીમાં ત્રણ ચાર દિવસમાં એક મોટુ રમખાણ થતું હતું. કેટલાય મહિના સુધી કર્ફ્યુ લગાવેલો રહેતો. પહેલા અરાજકતા ચરમ પર હતી. ગુંડાગીરી પણ થતી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 5 પાંચ વર્ષથી કોઈ રમખાણો થયા નથી. કર્ફ્યૂ લાગ્યો નથી. સરકારે રાજ્યની જનતાને સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે.