અમદાવાદમાં GIHED-CREDAIનો આજે 14મો પ્રોપર્ટી શૉ GMDC ખાતે યોજાઈ રહ્યો છે. આ પ્રોપર્ટી શૉનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. 14માં પ્રોપર્ટી શૉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખુલ્લો મૂક્યો છે. ત્યારે CMએ પ્રથમ વખત મહત્વનું નિવેદન આપ્યું છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં જે ચર્ચાઓ ચાલી રહી હતી, તે જોતા મુખ્યમંત્રીનું નિવેદન અતિ મહત્વનું ગણી શકાય. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો...
અમદાવાદમાં GIHED-CREDAIનો આજે 14મો પ્રોપર્ટી શૉ
અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથીઃ સીએમ રૂપાણી
દર વર્ષે વિભાગને 100 નવી TP મંજુર કરવાનો લક્ષ્યાંક આપ્યોઃ સીએમ રૂપાણી
ત્યારે આ પ્રસંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને મહેસુલ મત્રી કૌશિક પટેલ અને અમદાવાદના મેયર બિજલ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આપ્યું હતું. પરંતુ નીતિન પટેલ ગેરહાજરીમાં હતા. ત્યારે હાલ ગુજરાતમાં જે વિવિધ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ત્યારે CM વિજય રૂપાણીએ પ્રથમ વખત મહત્વનું નિવેદન આપ્યું છે.
CMને કેમ ગમે છે રાજકીય ટી-20?
તેમણે કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે કહ્યું હતું કે હું 20-20 રમવા આવ્યો છું. એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કચાશ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂરી નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી. દર વર્ષે વિભાગને 100 નવી TP મંજુર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લા 2 વર્ષથી લક્ષ્યાંક પાર પાડ્યો છે. અમદાવાદની 2-4 TP કોમ્પ્લિકેટેડ છે, એનો પણ નિર્ણય ઝડપથી લેવાઈ જશે.
હું સ્પષ્ટ વક્તા, ઝડપથી લઉં છું નિર્ણયઃ રૂપાણી
જોકે પ્રોપર્ટી શૉના માધ્યમથી વાત કરતા CM વધુમાં વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં 45%થી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં છે. આગામી 25-30 વર્ષને ધ્યાનમાં રાખીને સરકાર આયોજન કરી રહી છે. લોકોની વાત સાંભળીને જ રાજ્ય સરકાર નિર્ણય કરી રહી છે. તેમજ વધુમાં વાત કરતા કહ્યું કે, ક્યાંય મારી કોઈ જમીન નથી. અહીં બેસેલો કોઈ મારો ભાગીદાર પણ નથી. હું સ્પષ્ટ વક્તા છું અને ઝડપથી નિર્ણય લઈ શકું છું.
મારે તો સળગતામાં પાણી નાખવું છેઃ રૂપાણી
અમારા ડિપાર્ટમેન્ટને સૂચના છે કે, દર વર્ષે 100 ટીપી મંજૂરી થવી જોઈએ. અમદાવાદની બે-ચાર ટીપી કોમ્પ્લિકેટેડ છે. સળગતામાં હાથ નાંખતા લોકો બીતા હોય છે. સળગતામાં તો મારે પાણી નાંખવું છે. મારે ક્યાં દિવાસળી ચાંપવી છે. આપણએ વિકાસને આગળ વધારવાનો છે. ક્યાંય મારી કોઈ જમીન નથી. અહીં બેસેલો કોઈ બિલ્ડર મારો ભાગીદાર પણ નથી. આ કારણે ઈમાનદારીથી કામ કરુ છું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી.
પ્રથમ વખત CM વિજય રૂપાણીએ આ પ્રકારનું મહત્વનું નિવેદન આપ્યું છે. ત્યારે પોતાના પારદર્શી વ્યવહાર માટે આ નિવેદન મહત્વનું ગણી માની શકાય છે. ત્યારે બીજી તરફ રાજકીય ગરમાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોય તેવું પણ લાગે રહ્યું છે. ક્યારેય મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યારેય કોઈ પ્રાઈવેટ સ્ટેજ પરથી રાજકીય નિવેદન આવ્યું નથી. ત્યારે આ વર્તમાન સ્થતિને જોતા સૂચક રૂપ ગણવામાં આવી કહી શકાય તેમ છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે CM કોને સંભળાવવા માગતા હતા? રાજકીય વિરોધીઓ સામે CMની ફટકાબાજી. ટી-20 અને વન-ડૅના ખેલાડીમાં શું ફરક? CMને કેમ ગમે છે રાજકીય ટી-20? CM રૂપાણી આજે 'આકરા' કેમ થયા? એક શબ્દ, નિશાન કેટલા?