બિહારમાં દારૂબંધીની અમલવારી માટે CM નીતિશની નવી રણનીતિ; "દારૂ પીનારાઓ સામે કડક કાર્યવાહી પછી કરો પહેલા વેચનાર અને હેરાફરી કરનારાઓ પર કરો"
બિહારમાં દારૂબંધીની અમલવારી માટે CM નીતિશની નવી રણનીતિ
દારૂ વેચનાર અને હેરાફરી કરનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ
દારૂબંધીને લઈને નીતિશ સરકાર પર પટના કોર્ટે ફટકાર
બિહારમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાના તમામ પ્રયાસોમાં નીતિશ સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. રાજ્યમાં દારૂબંધી બાદ પણ નકલી દારૂના કારણે મોતના અનેક કિસ્સા સામે આવ્યા છે અને સાથે જ ગેરકાયદેસર દારૂના વેચાણના કિસ્સાઓ પણ અવાર નવાર સામે આવી રહ્યાં છે. નીતિશ સરકાર સતત વિપક્ષના નિશાના પર છે અને હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે અધિકારીઓને નવી સૂચનાઓ આપી છે, જેમાં દારૂડિયાઓને પકડવાને બદલે દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે રાજ્યમાં લાગુ કરાયેલા દારૂ પ્રતિબંધની સમીક્ષા બેઠક યોજી હતી અને અધિકારીઓને સુચના આપી હતી કે, દારૂડિયાઓ પર કડક કાર્યવાહી કરવાને બદલે હેરાફરી કરનાર અને સંગ્રહ અને વેચાણમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાનો પોલીસને નિર્દેશ આપ્યો હતો.
બિહારના મુખ્ય સચિવ અમીર નિવેદન
બિહારના મુખ્ય સચિવ અમીર સુભાનીએ નશાબંધી અંગે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક બાદ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં દારૂનું સેવન કરનારાઓની દારૂ બંધ કરાવવા દારૂની સપ્લાય લાઇન બંધ કરવાની વાત જણાવી હતી. મુખ્ય સચિવ અમીર સુભાનીએ કહ્યું કે જો દારૂનો સપ્લાયરને પકડીએ તો તેની સાથે સંકળાયેલા 1000 પીનારાઓનો સપ્લાય બંધ થઈ જાય છે. તેમણે કહ્યું કે, દારૂ પીનારાઓની પાછળ દોડવા કરતાં દારૂની સપ્લાય લાઇન કાપવી સારી છે. તેમણે કહ્યું કે, જો કોઇ દારૂ પીતા પકડાશે તો કાર્યવાહી થશે પરંતુ પ્રાથમિકતા એ છે કે દારૂની સપ્લાય લાઇન બંધ કરવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય એ છે કે, બિહારમાં દારૂબંધીને લાગુ કરવાની મુશ્કેલીઓ વચ્ચે સરકાર સતત પોતાની રણનીતિ બદલી રહી છે.
પટના હાઈકોર્ટેની નીતિશ સરકારને ફટકાર
પટના હાઈકોર્ટના ન્યાયાધીશ પૂર્ણેન્દુ સિંહ (સિંગલ બેંચ)એ યોગ્ય રીતે અમલ ન કરવા બદલ સરકારને ઠપકો આપ્યો અને કહ્યું કે તેના કારણે રાજ્યમાં ગુનાની ઘટનાઓ વધી રહી છે. ગત મહિને પટના હાઈકોર્ટે બિહારમાં દારૂબંધીને લઈને નીતિશ કુમાર સરકારને ફટકાર લગાવી હતી. પૂર્ણેન્દુ સિંહે કહ્યું હતું કે બિહારમાં દારૂબંધીને યોગ્ય રીતે લાગુ ન કરવાને કારણે રાજ્યમાં રહેતા લોકો અને પર્યાવરણ પર ખરાબ અસર વર્તાઈ રહી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રતિબંધ લાગવાના બદલે બિહારમાં ચરસ અને ગાંજાની ગેરકાયદેસર હેરાફરી અને વપરાશના મામલા ઓછા હતા પરંતુ 2016માં પ્રતિબંધ લાગુ કરવામાં આવતા કેસોમાં વધારો થયો છે.