લદ્દાખમાં ભારત અને ચીન સરહદ પર બંને દેશોની સેનાઓ છેલ્લા ઘણા દિવસથી તૈનાત છે. આ તણાવપૂર્ણ સ્થિતિ પર દુનિયાની નજર છે. એક તરફ જ્યાં અમેરિકા ચીન સાથે તાકાતની જગ્યાએ કૂટનીતિનો ઉપયોગ કરવાની અપીલ કરી ચૂક્યું છે, ત્યારે બીજી તરફ ચીન અડધી રાતે અંધારામાં યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની તિબ્બત મિલેટ્રી કમાંડે ગઇ અડધી રાતે 4,700 મીટર પરની ઉંચાઇ પર સેના મોકલી અને કઠિન પરિસ્થિતિમાં પોતાની શક્તિનું પરીક્ષણ કર્યું.
ચીનની સેનાએ સોમવારે સેના કર્યું શક્તિ પરીક્ષણ
લદ્દાખમાં ભારત અને ચીનની સેના છે આમને-સામને
બંને દેશો વચ્ચેની તણાવ પરિસ્થિતિ પર છે દુનિયાની નજર
આગળની તૈયારી કરી રહ્યું છે ચીન
ચીનના એક ન્યૂઝ પેપરે આ યુદ્ધ અભ્યાસ અંગે જાણકારી આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત અને ચીનની સરહદ ઉંચાઇ પર છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે કેટલીક ઘટનાઓ થઇ છે જેને લઇને બંને વચ્ચે તણાવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે કે ભારતની સરહદ પર ચીનનું આક્રમક વલણ ખતરનાક છે.
અંધારામાં કર્યું શક્તિ પરિક્ષણ
ચીન સેન્ટ્રલ ટેલિવિઝનના મુજબ ચીનની PLA સ્કાઉટ યૂનિટે તાંગુલા પહાડી તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. સેનાના શક્તિ પરિક્ષણ સમયે લાઇટો બંધ રાખવામાં આવી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદ લેવામાં આવી જેથી ડ્રોનથી બચી શકાય. રસ્તામાં આવતી અડચણોને દુર કરી ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યાં. ચીને રસ્તામાં આવનારી અડચણોને પાર કરી અને ડ્રોની મદદથી વિસ્ફોટ કર્યા. અને ટાર્ગેટ નજીક પહોંચી કોમ્બેટ ટેસ્ટ પણ કર્યા. જેના માટે સ્નાઇપર યૂનિટને આગળ મોકલ્યું.
આ સાથે જ ફાયર સ્ટ્રાઇક ટીમે નાના હથિયારવાળી ગાડીઓને એન્ટી ટેંક રોકેટથી ઉડાવી દીધી. યુદ્ધ અભ્યાસ દરમિયાન 2 હજાર મોર્ટાર શેલ, રાઇફલ, ગ્રેનેડ અને રોકેટ્સનો ઉપયોગ કરાયો. ચીનના પૂર્વ સૈન્ય અધિકારીએ ગ્લોબલ ટાઇમ્સને જાણકારી આપતાં કહ્યું કે આ વિસ્તારમાં રાત્રે ખુબ ઠંડી હોય છે અને ઓક્સિઝન પણ ઓછું હોય છે. જેના કારણે સેનાને પરેશાની થઇ શકે છે અને હાર્ડવેરમાં પણ ખરાબી આવી શકે છે. રાત્રીના સમયે હુમલામાં અચાનક હુમલો કરવાથી મદદ મળી શકે છે.
પૂર્વ લદ્દાખમાં ચીનના સૈનિક ઘણી વખત આવ્યાંઃ રાજનાથિસંહ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત અને ચીનની સેના વચ્ચે લગભગ એક મહીનાથી ચાલી રહેલા તણાવને લઇને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ચીનના સૈનિકની સંખ્યામાં વધારો થયો છે અને ભારત પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે બધા પગલાઓ ભરી રહ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને ચીનના ઉચ્ચ સેનનાના અધિકારીઓ વચ્ચે 6 જૂનના રોજ બેઠક યોજાશે.