ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) મંગળવારે Chandrayaan-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. Chandrayaan-2એ મિશનને સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. ચંદ્રયાન 150 કીમી દૂર હતું ત્યારે કર્યો ગતિમાં બદલાવ કરવામાં આવ્યો અને સફળ રીતે સવારે 9વાગીને 2 મિનિટે તેને ચંદ્ર પર પહોંચાડવામાં આવ્યું.
અંતરિક્ષમાં ઈસરોએ રચ્યો ઈતિહાસ
લોન્ચિંગના 29 દિવસ પછી કર્યો પ્રવેશ
સફળ રીતે પહોંચ્યું ચંદ્રયાન -2
ગતિ ઓથી કરવા ચંદ્રયાન-2ની એક સિસ્ટમ ફાયર કરવી પડી.
31 ઓગસ્ટ સુધી કરશે ચંદ્રની પરિક્રમા
ચંદ્રયાન 150 કીમી દૂર હતું ત્યારે કર્યો ગતિમાં બદલાવ
ભારતનું 2008 પછીનું બીજું સફળ ચંદ્ર મિશન
સવારે 9 વાગીને 2 મિનિટે ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન-2
અવકાશમાં ભારતની સૌથી મોટી સિદ્ધિ ગણાશે
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) મંગળવારે Chandrayaan-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. Chandrayaan-2એ મિશનને સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરશે. Chandrayaan-2ને 22 જુલાઈએ હરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી રોકેટ બાહુબલીની મદદથી પ્રક્ષેપિત કરાયું હતું. આ પહેલાં 14 ઓગસ્ટે ચંદ્રયાન 2ને ટ્રાંસ લૂનર ઓર્બિટમાં લઈ જવામાં આવ્યુ હતું. આ સૌથી લાંબી કક્ષા હતી જેમાં ચંદ્રયાન 2 ચંદ્રની નજીક પહોંચ્યું હતું.
સતત ધ્યાન રાખશે ISROના આ 3 સેંટર્સ
ચંદ્રયાન-2ના માર્ગનું ધ્યાન ઈસરોના 3 સેંટર્સ કરી રહ્યા છે. આ છે- મિશન ઓપરેશન કોમ્પલેક્સ (MOX), ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN). ઈસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ચંદ્રયાન -2 હાલમાં સારી રીતે કામ કરી રહ્યું છે.
હવે ઘટાડવી પડશે ચંદ્રયાનની ગતિ- ઈસરો ચેરમેન
ઈસરોના ચેરમેન ડો. કે. સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં જતા સમયે મોટી સુરક્ષામાંથી પસાર થવું પડશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65000 કિમી સુધીની રહે છે. એવામાં ચંદ્રયાન-2ની ગતિને ઓછી કરવી પડશે. નહીં તો ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને તે તેનાથી અથડાઈ શકે છે. ગતિ ઓછી કરવા માટે ચંદ્રયાન -2ના ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને થોડી વાર પછી ચાલુ કરવામાં આવશે. આ સમયે એક નાની ચૂક પણ યાનને અનિયંત્રિત કરી શકે છે. આ ફક્ત ચંદ્રયાન-2ને માટે નહીં પણ વૈજ્ઞાનિકોને માટે પણ પરીક્ષાનો સમય છે.
#ISRO
Lunar Orbit Insertion (LOI) of #Chandrayaan2 maneuver was completed successfully today (August 20, 2019). The duration of maneuver was 1738 seconds beginning from 0902 hrs IST
એક વાર ફરી શરૂ થશે કક્ષામાં બદલાવની પ્રક્રિયા
ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ 31 ઓગસ્ટ સુધી ચંદ્રમાની ચારે તરફ ફરતું રહેશે. આ સમયે એક વાર ફરી કક્ષામાં બદલાવ કરવામાં આવશે. ચંદ્રયાન-2ને ચંદ્રની સૌથી નજીક સુધી પહોંચાડવા માટે ચાર વખત કક્ષા બદલવામાં આવશે.
ચંદ્ર સાથે ચંદ્રયાન-2 અથડાય નહીં તે માટે તેની ગતિ ઓછી કરાશે
ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિનો પ્રભાવ 65000 કીમી સુધી છે. એટલે કે ચંદ્રથી આ અંતર સુધી આવનારી કોઈપણ વસ્તુને ચંદ્ર પોતાની તરફ ખેંચી શકે છે. મંગળવારે એટલે કે 20 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રથી 65000 કીમીના અંતર સુધી એટલે કે 150 કિમી દૂર હશે. ત્યારે ઈસરો ચંદ્રયાન-2ની ગતિને ઘટાડવાનું શરૂ કરશે આ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની સાથે સંઘર્ષ કરીને તે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે.
શક્ય છે કે ઓર્બિટર 2 વર્ષ સુધી કામ કરે
ચંદ્રયાન -2 લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન તો ચાંદની કક્ષા પર ઉતરીને પ્રયોગ કરશે. ઓર્બિટર લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની આસપાસ ફરશે અને રિસર્ચ કરશે. ચંદ્રની કક્ષામાં અનેક બદલાવ કર્યા બાદ ઓર્બિટરમાં જે ઈંઘણ બચશે તેનાથી તે 2 વર્ષ સુધી કામ કરી શકે છે. પરંતુ આ બાબત 7 સપ્ટેમ્બર પછી નક્કી થશે.