તે ઘણા સમયથી બિમાર હતા અને આજે તે સ્વર્ગ સિધાર્યા છે. 50-60ના દાયકામાં ઘણી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કરી ચૂકેલા અને રામાયણમાં આર્ય સુમંતની ભૂમિકા પણ ભજવી હતી.
અનિલ ગાયકવાડે અભેનાતાના નિધનની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે 7 વાગે સવારે તેમનુ નિધન થઇ ગયુ છે. ઉંઘમાં જ તેમનુ અવસાન થયુ છે, પરિવાર તેમની સાથે જ હતો અને તેમને કોઇ બિમારી નહોતી આ માત્ર ઉંમરના કારણે થયુ છે. તેમણે એક સારુ જીવન જીવ્યુ છે.
એક્ટરની અંતિમવિધી જૂહુના પવન હંસ ઘાટમાં કરવામાં આવશે. હૈદરાબાદમાં જન્મેલા ચંદ્રશેખરે 1950ના દશકમાં બાળકલાકાર તરીકે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને 1954માં આવેલી ફિલ્મ સુરંગમાં તે પહેલીવાર અભિનેતા તરીકે નજર આવ્યા હતા. 1987માં ટીવી પર આવેલી રામાનંદ સાગરની સિરીયલ રામાયણમાં આર્ય સુમંતની ભૂમિકા પણ ભજવી હતી જેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. ચંદ્રશેખરના પરિવારમાં તેમના 3 બાળકો છે.
દિગ્ગજ અભિનેતા ચંદ્રશેખર 250 જેટલી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. તેમની પહેલી ફિલ્મ સુરંગ હતી બાદમાં ગેટ વે ઓફ ઇન્ડિયા, ફેશન, બરસાત કી રાત જેવી ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે એક્ટિંગ કરી હતી.
ચંદ્રશેખરે આ ફિલ્મોમાં કામ કર્યું હતું
તેમણે કાલી ટોપી લાલ રૂમાલ, બિરાદારી, સ્ટ્રીટ સિંગર અને રુસ્તમ-એ-બગદાદ જેવી ફિલ્મોમાં પોતાના કૌશલ્યનું સારું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય ચંદ્રશેખરે કટી પટાંગ, બસંત બિહાર અને શરાબી જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રશેખરે જ 1964માં આવેલી ફિલ્મ 'ચા ચા ચા' થી ભારતીય સિનેમામાં આ નામનું નૃત્ય સ્વરૂપ રજૂ કર્યું હતું.
શક્તિ અરોરાના નાના હતા ટીવીના સુમંત
તમને જણાવી દઇએ કે, ચંદ્રશેખર ટીવી એક્ટર શક્તિ અરોરાના નાના હતા. વર્ષ 2019માં શક્તિએ તેમની સાથે એક તસવીર શૅર કરી હતી.