પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગના કપડાં ફાડી નાખવા અને હુમલો કરવાના કેસમાં ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની માંગ સાથે રાજ્યપાલને એક આવેદન રજૂ કર્યું છે.
પંજાબમાં બની હતી આ ઘટના
ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને માર મરાયો
પંજાબના રાજ્યપાલને મળીને અપાયું આવેદન
અશ્વની શર્માએ કહ્યું કે આ ઘટનામાં ધારાસભ્ય નગ્ન નથી થયા પરંતુ આખી વિધાનસભા નગ્ન થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જ્યાં ધારાસભ્ય પોતે સલામત નથી, ત્યાં સામાન્ય લોકો હવે કેટલું સલામત છે તેનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.
ભાજપના ધારાસભ્યને માર મરાયો
પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગના કપડાં ફાડી નાખવા અને હુમલો કરવાના કેસમાં ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની માંગ સાથે રાજ્યપાલને એક આવેદન રજૂ કર્યું છે. બીજી તરફ, પંજાબ પોલીસે દાવો કર્યો છે કે આ મામલામાં આશરે 300 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્યપાલ વી.પી.સિંહ બદનૌરે પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રવિવારે પંજાબ ભાજપ અધ્યક્ષ અશ્વની શર્માના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ વી.પી.સિંહ બદનૌરને મળ્યું. પ્રતિનિધિ મંડળએ રાજ્યપાલને એક આવેદન આપ્યું અને ધારાસભ્ય સાથે બનેલી ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થા માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જવાબદાર ઠેરવ્યા હતા.
કેપ્ટન અમરિન્દર પર માહોલ બગાડવાનો આરોપ લગાડ્યો
મેમોરેન્ડમ સોંપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા અશ્વની શર્માએ કહ્યું કે, આ ઘટનામાં ધારાસભ્ય લજ્જિત નથી થયા, પરંતુ આખી વિધાનસભા લજ્જિત થઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જ્યાં ધારાસભ્ય પોતે સલામત નથી, ત્યાં સામાન્ય લોકો કેટલું સલામત છે તેનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. ભાજપ અધ્યક્ષનું કહેવું છે કે કેપ્ટન અમરિંદર સિંઘ ખેડૂતોના ખભા પર બંદૂક મૂકીને રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ભાજપ નેતાઓને ખાતરી આપી છે કે ગુનેગારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું છે કે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે આ કેસમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ આ સમગ્ર કેસમાં 250 થી 300 જેટલા અજ્ઞાત લોકોની વિરુદ્ધમાં 307,353,186,342,332,506,148 અને 149 ધારાઑ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
પંજાબમાં ભાજપ પ્રત્યે ખેડૂતોનો રોષ વધી રહ્યો છે
નોંધપાત્ર વાત એ છે કે, પંજાબમાં, કૃષિ કાયદાને કારણે ભાજપ પ્રત્યે ખેડૂતોનો રોષ વધી રહ્યો છે. શનિવારે સરકારના ચાર વર્ષના કાર્યકાળની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરવા માલોટમાં પહોંચેલા અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગના ખેડૂતોએ કપડાં ફાડી નાખ્યા હતા અને માર માર્યો હતો. બીજી તરફ ભાજપના પ્રદેશ મહામંત્રી સુનિતા ગર્ગ, જે ફિરોઝપુર પ્રેસ ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા, તેનો પણ ખેડૂતો દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂત તેના ઘરની બહાર ધરણા પર બેઠા છે, આ સિવાય પણ ભાજપના નેતાઓનો વિરોધ કરવાની ઘટનાઓ સામે આવી હતી.