સમગ્ર રાજયમાં પાણીની અછત જોવા મળી રહી છે. ત્યારે જળ બચાવો-જીવન બચાવો" ના સુત્રને સાર્થક કરી ભાવનગરના મુસ્લિમો દ્વારા મસ્જિદોમાં આધુનિક નળો ફીટ કરવામાં આવ્યા છે. જેને લઈને હાલ 80% પાણીનો બચાવ થઈ રહ્યો છે. આધુનિક સ્ટીક વાળા આ નળમાં પાણીનો વ્યય સહેજ પણ થતો નથી અને પાણીની સાથે વીજળીની બચત પણ થાય છે. શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આ નળને મંદિરોમાં અને દેરાસરો સહીત વિવિધ સ્થળે વિનામૂલ્યે ફીટ કરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેરના મુસ્લીમ આગવાનો દ્વારા પાણી બચાવવા માટેનો સરાહનીય પ્રયાસ