એકથી વધારે બેઁકમાં તમારુ સેવિંગ અકાઉન્ટ છે અને તેનો ઉપયોગ નથી કરી રહ્યાં તો તેને બંધ કરાવી દેવુ ખુબ જરૂરી છે.
બેઁકમાં ખાતુ છે પણ યુઝ નથી કરતા તો સાવધાન
પેનલ્ટી ભરવી પડી શકે છે
તાત્કાલિક બંધ કરાવી દો સેવિંગ અકાઉન્ટ
ફાઇનાન્સિયલ એડવાઇઝર માને છે કે બેકાર પડેલા કે જેને તમે યુઝ નથી કરતા તેવા અકાઉન્ટ બંધ કરાવી દેવા જરૂરી છે. જરૂરિયાતથી વધારે સેવિંગ અકાઉન્ટ ખોલાવી દેવાથી નુકસાન થાય છે. ઘણીવાર એવુ થાય છે કે આપણે નોકરી બદલીને એક શહેરથી બીજા શહેર જઇએ છીએ ત્યારે સેવિંગ અકાઉન્ટની સંખ્યા પણ વધતી જાય છે. તો આવો જાણીએ સેવિંગ અકાઉન્ટની વધતી સંખ્યાથી શું નુકસાન થાય છે.
મિનીમમ બેલેન્સ રાખવુ પડશે
તેનુ સૌથી મોટુ નુકસાન તો તે છે કે તમારે બધા જ અકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રાખવુ પડશે. ગ્રાહકે દરેક અકાઉન્ટમાં મિનીમમ મંથલી એવરેજ બેલેન્સ રાખવુ પડે છે. મંથલી એવરેજ બેલેન્સ ન રાખવા પર પોલીસી પ્રમાણે તમારા ખાતામાંથી પૈસા કાપી શકે છે. દરેક બેઁકમાં રેગ્યુલર સેવિગ અકાઉન્ટમાં આ નિયમ લાગૂ છે. આવામાં તમારી પાસે બે ઓપ્શન રહે છે. કાં તો તમે મંથલી એવરેજ બેલેન્સ બનાવીને રાખો અથવા તો તમારી સેવિંગનો કેટલોક હિસ્સો જમા કરાવો અને પૈસા કપાવો.
આપવા પડશે ડેબિટ કાર્ડ ચાર્જીસ
જો તમે અકાઉન્ટ યુઝ નથી કરતા તો ડેબીટ કાર્ડની ફી ભરવી પડશે અને આ ફીની કિંમત તમારા તે બેકાર પડેલા ખાતા પર મળનારા વ્યાજ કરતા પણ વધારે હોઇ શકે છે. આ ફી વાર્ષિક 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધી હોઇ શકે છે.
ભરવો પડી શકે છે દંડ
જો કોઇ ગ્રાહક સેવિંગ અકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ ન રાખે તો બેઁકના નિયમો અનુસાર તેને દંડ ભરવો પડી શકે છે. દંડથી બચવા માટે તમારે ખાતામાં મિનીમમ બેલેન્સ રાખવુ જરૂરી છે. જો તમે દંડ પણ નથી આપતા તો પેનલ્ટી વધી જાય છે.
ખાતુ બંધ થવામાં ખતરો
જો તમે સતત 12 મહિના સુધી બેઁક અકાઉન્ટમાં કોઇ ટ્રાંજેક્શન નથી કરતા તો બેઁક તમારા ખાતાને ઇનએક્ટિવ ખાતુ માની લેશે અને ડૉર્મેટ અકાઉન્ટની શ્રેણીમાં નાંખી દેશે. ઇનએક્ટિવ અકાઉન્ટથી તમે નેટ બેઁકિંગ, એટીએમ ટ્રાંજેક્શન કે ફોન બેઁકિંગ નહી કરી શકો.