કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાઇ, ઘટના સ્થળ પર જ સવાર 3 લોકોના કમકમાટી ભર્યા મોત
મોરબીના રાજપર રોડ ઉપર અકસ્માત
વીજપોલ સાથે કાર અથડાતા ત્રણના મૃત્યુ
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. રોડ અકસ્માતમાં અનેક લોકોના પરિવારનો માળો વીંખાઈ જાય છે. ત્યારે મોરબીના રાજપર રોડ ઉપર અકસ્માત થતાં 3ના મોત થતાં પંથકમાં એરેરાટી વ્યાપી છે.
વીજપોલ સાથે અથડાઈ કાર
મોરબીના રાજપર રોડ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ભીષણ અકસ્માત થયો હતો. કાર ધડાકાભેર સાથે રોડની સાઈડ પરના વીજપોલ સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા. અકસ્માતને પગલે રાજપર રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો. રાહદારીઓ સાથે આસપાસના ગામના લોકો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા.
તમામના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની સાથે સાથે કારમાં સવાર લોકોને મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સને બોલાવી ત્રણેય લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.