બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / વિશ્વ / Canada again spoke against India, said new delhi might interupput in their elections

વિશ્વ / નિજજર હત્યા બાદ કેનેડાએ ફરી ભારતને ગણાવ્યું 'વિદેશી ખતરો', કહ્યું ચૂંટણીમાં થઈ રહ્યો છે હસ્તક્ષેપ

Vaidehi

Last Updated: 04:22 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાએ હવે ભારતને એક 'વિદેશી ખતરો' કહ્યું છે. તેમણે કહ્યું કે શક્ય છે કે," નવી દિલ્હી તેમની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરે..!"

  • કેનેડા અને ભારત વચ્ચેનાં સંબંધો વધુ બગડ્યાં
  • કેનેડીયન સરકારે ભારત પર વધુ એક આરોપ મૂક્યો
  • કહ્યું કે ભારત એક 'વિદેશી ખતરો' છે

ભારત અને કેનેડાની વચ્ચેનાં સંબંધોમાં કડવાશ વધી રહી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તણાવની સ્થિતિની વચ્ચે કેનેડા સરકારે ફરી એકવાર ભારત સામે આંગણી ચીંધી છે. પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકી હરદિપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યા બાદ હવે કેનેડીયન સરકારે ભારતને 'વિદેશી ખતરો' કહ્યું છે. છેલ્લાં કેટલાય મહિનાઓથી કેનેડાએ ભારતને બદનામ કરવાનું ચાલુ રાખ્યું છે.

વિદેશી ખતરાનો આરોપ
કેનેડાએ હવે ભારતને એક 'વિદેશી ખતરો' કહેતાં આરોપ મૂક્યો છે કે નવી દિલ્હી સંભવિતરૂપથી તેમની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. ગ્લોબલ ન્યૂઝની રિપોર્ટ અનુસાર આ આરોપ કેનેડિયન સુરક્ષાની ગુપ્ત રિપોર્ટ દ્વારા લગાડવામાં આવ્યો છે. જો કે ભારતે કેનેડાનાં આ આરોપની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2022ની ગુપ્ત રિપોર્ટ કે જેનું ટાઈટલ 'વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી: એક રાષ્ટ્રીય સુરક્ષા આંકલન' છે તેમાં ભારતને એક 'ખતરો' કહેવામાં આવ્યું છે. અને ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાનાં લોકતંત્રને કમજોર કરી રહ્યું છે. 

વધુ વાંચો:  'કોઇ અમેરિકીને નુકસાન પહોંચાડ્યું તો...', ઇરાક-સીરિયા હુમલા વચ્ચે બાયડનની ચેતવણી

આ પહેલા પણ મૂક્યો હતો આરોપ
ગત સપ્ટેમ્બરમાં કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કેનેડિયન સંસદમાં આરોપ લગાડ્યો હતો કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત કથિત ધોરણે સંકળાયેલું છે જેના પૂરાવાઓ પણ તેમની પાસે છે. પણ જ્યારે ભારતે કેનેડા પાસે આ આરોપ પાછળનાં પૂરાવાઓ માંગ્યા ત્યારે કેનેડાએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. ભારતે કેનેડાનાં તમામ આરોપોને ફગાવી દીધાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ