બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Khyati
Last Updated: 11:03 AM, 17 January 2022
દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બોલિવુડ સિતારા પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મશહૂર ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ આઇસીયુમાં છે. તેવામાં બોલિવુડે એક દિગ્ગજ ગીતકારને ગુમાવ્યા છે.હિન્દી સિનેમાના જાણીતા ગીતકાર ઈબ્રાહિમ અશ્કે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓને કોવિડ-19 અને ન્યુમોનિયાનો લાગ્યો હોવાથી ફેફસાં પર અસર થઇ હતી. વળી તેઓ હાર્ટ પેશન્ટ પણ હતા. તેમની પુત્રી મુસાફા ખાને આ વાતની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે શનિવારે તેમને શ્વાસ લેવામાં તકલીફભ પડતી હતી જેથી મુંબઈની મેડિટેક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓને કોવિડ-19 અને ન્યુમોનિયાનો ચેપ લાગ્યો હોવાની જાણ થઇ હતી. મહત્વનુ છે કે ગીતકાર ઈબ્રાહિમ અશ્ક 'કહો ના પ્યાર હૈ' અને 'કોઈ મિલ ગયા' આ ફિલ્મમાં હિટ સૉન્ગ આપ્યા હતા.
દિકરી મુસાફાએ કરી આ વાતની પુષ્ટિ
દિકરી મુસાફાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ હતુ કે શનિવારથી જ તેમની તબિયત લથડી હતી. તેઓને ઘણી ઉધરસ આવી રહી હતી. લોહીની ઉલટી પણ થઇ હતી જે પછી અમે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા. જ્યાં ડોક્ટરે તપાસ કરતા ખબર પડી કે તેઓ કોરોના પોઝિટીવ છે. તેઓ હાર્ટ પેશન્ટ હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ધીમે ધીમે તબિયત વધારે ખરાબ થવા લાગી હતી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.
બોલિવુડમાં આપ્યા છે હિટ સૉન્ગ
મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં ઈબ્રાહિમ અશ્કનો જન્મ થયો હતો. તેઓ ફિલ્મોમાં ગીતો લખતા હતા. આ સિવાય તેઓ કવિતા અને શાયરી લખવાનો શોખ પણ ધરાવતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક પત્રકાર તરીકે કરી હતી. તેમણે દૈનિક ઈન્દોર સમાચાર સહિત ઘણા સામયિકો માટે પણ કામ કર્યું હતુ. બોલિવુડમાં તેઓ 'કહો ના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા', 'ઈધર ચલા મેં ઉધર ચલા' અને 'આપ મુઝે મેં અચ્છે લગના લગે, ક્રિશ', 'વેલકમ', 'ઐતબાર', 'જાનશીન', 'બ્લેક એન્ડ વ્હાઇટ' જેવી સહિતની ઘણી ફિલ્મોમાં તેમણે હિટ સૉન્ગ આપ્યા હતા..
આ સિતારાઓને પણ થયો હતો કોરોના
બોલિવુડને કોરોનાએ ચપેટમાં લીધુ છે. લતા મંગેશકર આઇસીયુમાં એડમિટ છે. તો આ અગાઉ નોરા ફતેબી, મૃણાલ ઠાકુર, અરિજીત સિંહ, સ્વરા ભાસ્કર, વિશાલ દદલાની પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે હાલ તેઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.મહત્વનુ છે કે રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,71,202 નવા કેસ સામે આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army