રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઈઝરાયલી દૂતાવાસની પાસે એક વિસ્ફોટને લઈને તપાસ જોરશોરથી ચાલી રહી છે. મળેલી ધમકી ભરેલી ચિઠ્ઠીમાં ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ લખ્યુ છે
બીજી વાર નિશાન પર ઈઝરાયલ દૂતાવાસ
ચિઠ્ઠીમાં ઈરાનની કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ
ઈઝરાયલે કહ્યું કે આ આતંકવાદી હુમલો છે
પોલીસના જણાવ્યાનુંસાર સામાન્ય વિસ્ફોટ હતો. જેમાં ત્યાં ઉભેલી 3 કારના કાચ તુટી ગયા હતા. રાહતની વાત એ છે કે વિસ્ફોટમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. આ દરમિયાન દિલ્હી પોલીસને એક કવર મળ્યું છે. જેની ચિઠ્ઠીમાં ઈઝરાયલી એમ્બલીનું નામ છે. જેમાં લખ્યું છે કે આ તો બસ ટ્રેલર છે આગળ હજું વધારે ધમાકા થઈ શકે છે.
ચિઠ્ઠીમાં ઈરાનની કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ
અંગ્રેજી અખબારના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે આ ધમકી ભરેલી ચિઠ્ઠીમાં ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ લખ્યુ છે. ઉલ્લેખનીય છે કે સુલેમાની ઈરાનનો સૌથી શક્તિશાળી કમાન્ડર હતો. ગત વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીને બગદાદમાં ઠાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુંસાર આ ચિઠ્ઠીમાં સુલેમાની ઉપરાંત વધુ એક વ્યક્તિનું નામ છે. જેને ઈરાનમાં શહીદનું બિરુદ આપ્યુ હતુ.
બીજી વાર નિશાન પર ઈઝરાયલ દૂતાવાસ
આ બીજી તક છે. જ્યારે દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસને નિશાનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2012માં ઈઝરાયલના રાજનયિક તેલ યેહોશુઆ અને ભારતના ડ્રાઈવર એક બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા. આ એક મેગનેટિક બ્લાસ્ટ હતો. આ ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા હતા. તે સમયે ઈઝરાયલે આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યુ હતુ.
ઈઝરાયલે કહ્યું કે આ આતંકવાદી હુમલો છે
દિલ્હીના પોલીસ કમિશનર શ્રીવાસ્તવે ઈઝરાયલી દૂતાવાસની પાસે થયેલા બ્લાસ્ટના સ્થળની મુલાકાત કરી છે. ઈઝરાયલ તરફથી આને આતંકવાદી હુમલો કરાર દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભારત સરકાર બહું કડક છે. રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલે ઈઝરાયલના પોતાના સમરક્ષ સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહને તાજા સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે.