ગુજરાતના ભરૂચ નજીક આવેલ દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 30 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જ્યારે 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટના કારણે જાનમાલને નુકસાન થવા પામ્યું છે. બ્લાસ્ટના કારણે આસપાસની કંપનીઓમાં પણ નુકસાન થયું છે. આ વિસ્ફોટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત ફેક્ટરીમાં થયો હતો.
ભરુચના દહેજની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના
35 જેટલા કર્મચારીએ ઘાયલ થયા
ભાવનગરના કુડા ગામ સુધી સંભળાયો અવાજ
ભરુચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં 30થી વધુ કર્મચારીઓને ઈજાઓ થઈ છે. જ્યારે 8 કામદારોના મૃત્યુ થયા છે. હજુ પણ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. આગને પગલે કંપનીમા નાસભાગ મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસની કંપનીઓમાં પણ નુકસાન થયું છે. તો બીજી તરફ, આગને કારણે સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ તો ફાયરની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે.
જો કે, આ બનાવ અંગેની જાણ નજીકના ફાયર બ્રિગેડને થતાં 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. નોંધનીય છે કે, આ ધડાકો એટલો ભયંકર હતો કે, આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
8 લોકોના થયાં મોત
Five people lost their lives & 57 others sustained injuries in a fire that broke out following a blast in a tank at Yashashvi Rasayan Pvt Ltd in Dahej Industrial Estate of Bharuch, Gujarat at about 12 PM today: Bharuch district collector Dr MD Modiya https://t.co/6A0e3T70dPpic.twitter.com/8W6gIh1a3M
ભરુચના દહેજમાં થયેલ બ્લાસ્ટના પડધા ભાવનગર સુધી પડ્યા છે. બ્લાસ્ટનો ધડાકોએ એટલો જબરદસ્ત હતો કે ભાવનગરના કુડા ગાામ સુધી તેનો અવાજ સંભળાયો હતો. મધદરિયે આગ લાગી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં. કુડાથી સામે દરિયામાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તો દૂર-દૂર સુધી કંપનીમાંથી ઉઠતા ધુમાડા દેખાઇ રહ્યાં છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારને મદદ કરવાની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ ઘટના અંગેનો એક વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગને કારણે અનેક લોકો દાઝી ગયા છે. તો તેમણે આ ઘટનાને લઇને તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક મદદ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.