મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ જોવા મળ્યો હતો. જેમાં અચાનક ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને તેની સાથે NCP નેતા અજીત પવારે ડે.સીએમ પદના શપથ લીધા. કોંગ્રેસ અને NCP સાથે સરકાર બનાવવા જઇ રહેલી શિવસેનાના સપના પર ભાજપે એક જ રાતમાં સાવ ખુબ ગુપ્ત રીતે 'સર્જિકલ સ્ટ્રાઇક' કરી નાંખી.
મહારાષ્ટ્રમાં ભાજપની રાજકીય સર્જીકલ સ્ટ્રાઇક
દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
NCP નેતા અજીત પવારે ડે.સીએમ પદના શપથ લીધા
ઘટનાક્રમ પર હતી પૂરી નજર
ખરેખર તો જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યારે BJP અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં જ આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં હતા. આ અગાઉ અમિત શાહે આ મામલા પર એક જ વખત નિવેદન આપ્યું હતું કે અમારે નુકસાન થયું છે.
CM પદને લઇને અડી ગઇ હતી શિવસેના
ગઠબંધન તુટવાનું મુખ્ય કારણ આ પણ હતું કે શિવસેનાએ BJP સામે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી પદને લઇને શર્ત રાખી. જેને ભાજપે નકારી દીધી હતી. ભાજપ તરફથી સતત નિવેદન આપવામાં આવી રહ્યું હતે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેનાની ચૂંટણી પૂર્વે આવી કોઇ વાત થઇ નહોતી.
ભાજપ સાથેના ગઠબંધન તુટ્યા બાદ NCP, કોંગ્રેસ અને શિવસેના તરફથી મહારાષ્ટ્રમાં સંભવિત ગઠબંધનને લઇને વાત કરી રહ્યાં હતા. જેને લઇને શુક્રવારે સાંજે શરદ પવારે નિવેદન આપ્યું કે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની ગઇ છે. જ્યારે ભાજપ શાંત હતી પરંતુ તેણે છેલ્લે ઘડીએ સમીકરણ પલટી નાંખ્યા. સૂત્રોને મળતી જાણકારી મુજબ રાતે 12.30 કલાકે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે રાજ્યપાલને મળવા પહોંચ્યા અને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો. જેને લઇને સવારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની ગઇ.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસને CM અને અજીત પવારને ડે. સીએમ પર શુભેચ્છા. મને વિશ્વાસ છે કે આ સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ પ્રતિ સતત કટિબદ્ધ રહેશે.
શિવસેનાને કોઇ પણ જાણ થઇ નહીં
શિવસેનાને એ સમજમાં ન આવ્યું કે જે NCP ની સાથે સરકાર બનાવા જઇ રહ્યા હતા તેની સાથે જ BJP એ કેવી રીતે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરી દીધી. સરકાર બન્યા બાદ અજીત પવારે નિવેદન આપ્યું કે પહેલા દિવસથી લઇને આજ સુધી કોઇ પણ પાર્ટી સરકાર બનાવામા માટે સક્ષમ નહોતી. આમ આ 'સર્જીકલ સ્ટ્રાઇક' નું પરિણામ એ છે કે હવે NCP તૂટવાના દ્વારે પહોંચી ગઇ છે. NCP પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યું છે કે આ NCP નો નિર્ણય નથી અને NCP આ નિર્ણયની સાથે નથી.
ઉદ્ધવ ઠાકેરે પણ કહ્યું કે શિવાજીના મહારાષ્ટ્ર પર 'સર્જીકલ સ્ટ્રાઇક'
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ પહેલી વાર NCP અને શિવેસના દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી. જેમાં કોંગ્રેસ હાજર રહી નહોતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે BJP એ છત્રપતિ શિવાજીના મહારાષ્ટ્ર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.