ઉત્તરપ્રદેશમાં ભાજપે 2017ની ચૂંટણીમાં કુલ 325 સીટો જીતી હતી. પરંતુ 60 સીટો એવી છે, કે જે ભાજપ આજસુધી નથી જીતી શકી જેથી તેને લઈને 2022ની ચૂંટણી માટે અલગ રણનીતિ ઘડવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં
60 સીટો પર ભાજપની બાજ નજર
આજ સુધી તે 60 સીટો ભાજપ નથી જીતી શક્યું
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાન સભા ચૂંટણી યોજાવાની છે. જે ચૂંટણીને લઈને મોટા ભાગની પાર્ટીઓ પૂર જોશમાં તૈયરી કરી રહી છે. અખિલેશ યાદવે સાયકલ યાત્રા દ્વારા સત્તામાં પરત આવવાનો રસ્તો વિચાર્યો છે. તો બીજી તરફ માયાવતીએ બ્રાહ્મણ સંમેલન યોજીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. સાથે પ્રિયંકા ગાંધીએ પણ યુપીમાં ચૂંટમીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
2017માં 325 સીટો જીતી
2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. તે સમયે ભાજપે 325 જેટલી સીટો જીતી હતી. જ્યારે 80 જેટલી સીટો હારી પણ હતી. પરંતુ આજે અમે તમને એ સીટો વીશે માહિતી આપીશું કે જે અત્યાર સુધી ભાજપે નથી જીતી સાથેજ તે સીટો જીતવા માચે ભાજય એક ખાસ રણનીતિ ઘડી રહ્યું છે.
60 સીટો ક્યારેય ભાજપ નથી જીતી શકી
આપને જણાવી દઈએ કે આંબેડકર નગરની અકબરપુર સીટ, આજમગઢની નિજામાબાદ સીટ, રાયબરેલીની સદર સીટ, કાનપુરની સીસામઉ સીટ, આજમગઢની સદર સીટ, પ્રતાપગઢની રામપુર ખાસ સીટ, ઈટાવાની જસવંતનગર સીટ એમ કુલ 60 જેટલી સીટો છે. જ્ચ 1993 પછી અત્યાર સુધીમાં ભાજપ નથી આવી.
2022 માટે અલગ રણનીતિ
ઉલ્લેખનીય છે કે તે 60 સીટો પર આ વખતે ભાજપની સત્તા આવે તે માટે પાર્ટી દ્વારા વિશેષ રણનીતિ ઘડવામાં આવી રહી છે. પાર્ટીએ દરેક સીટો પર અલગ અલગ પ્રભારીઓને નિયુક્ત કર્યા છે. આ સીટો જીતાડવાની જવાબદારી તેમણે વિધાન પરિષદોના સદસ્યોને, નિગમ, બોર્ડ તેમજ આયોગના અધ્યક્ષોને આપી છે. જેઓ ખાસ રણનીતિ ઘડી રહ્યા છે.