સુરત બાદ હવે રાજકોટમાં પણ નાગરિકતા સંશોધન બિલને લઈને યાત્રાનું આયોજન કરાયું છે. રાજકોટમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાશે.
સુરત બાદ રાજકોટમાં પણ CAAના સમર્થનમાં યાત્રા
CM વિજય રૂપાણી તિરંગા યાત્રામાં જોડાશે
વિવિધ સમાજો, સંગઠનો, શાળા-કોલેજે જોડાશે યાત્રામાં
સુરત ખાતે રવિવારે યોજાયેલી CAA સમર્થન તિરંગા યાત્રા બાદ સૌરાષ્ટ્રના લોકોમાં નાગરિકતા સંશોધન બિલને લઇને જાગરૂકતા લાવવા માટે રાજકોટ ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ હાજરી આપશે.
આ તિરંગા યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, બેડી યાર્ડના એજન્ટો-વેપારીઓ જોડાશે. લોકોમાં CAAને લઈને જાગરૂકતા આવે તે માટે ભાજપ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને લઈને ભાજપ દ્વારા સુરત બાદ હવે રાજકોટમાં રેલીનું આયોજન કરાયું છે.
આ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાંથી CAAના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિની બજારમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ હતી. માનગઢ ચોકથી કપોદ્રા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના દિગ્ગજ નેતાઓ રેલીમાં જોડાયા હતાં.
આ રેલીને VHP અને બજરંગ દળ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. CAA લાગૂ થયા બાદ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે લોકોને CAA વિશે અવગત કરવા માટે ભાજપ દ્વારા રેલી યોજવામાં આવી છે.