ભાજપના નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટું જનજાગરણ અભિયાન આજથી એટલે કે 5 જાન્યુઆરીથી શરૂ કરી રહી છે. એક દિવસમાં 42 જગ્યાઓએ 42 મોટા નેતા ઘરે ઘરે સંપર્ક અભિયાન લોન્ચ કરશે. આવનારા 10 દિવસમાં ભાજપના મંત્રી અને નેતાઓ દેશના 3 કરોજ લોકો સુધી પહોંચશે.
ભાજપના મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ કાયદાના સમર્થનનો માહોલ બનાવવાનો મોર્ચો સંભાળ્યો છે. ભાજપના નેતાઓએ આ કાયદાનો ફાયદો બતાવવા અને સમર્થન મેળવવા માટે વાટાઘાટો શરૂ કરી છે. આવનારા સમયમાં ડૉ. નરોત્તમ મિશ્રા-દતિયા, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર -મુરૈના અને ગ્વાલિયર, પૂર્વ મંત્રી રાજેન્દ્ર શુક્લા-સીધી, કૃષ્ણ પાલ- ભિંડ, સાંસદ ગણેશ સિંહ- અનૂપપુર, પ્રદેશ ઉપાધ્યક્ષ રામેશ્વર શર્મા-સીહોર અને અરુણ ચતુર્વેદી- નીમચ, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા- શિવપુરીમાં જનસભા કરશે.
છત્તીસગઢમાં આ મંત્રીઓ જોડાશે અભિયાનમાં
છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહ અને ઉષા ઠાકુર- ધાક, સાંસદ રામશંકર કઠેરિયા અને મનોહર ઉંટવાલ- રતલામ, વરિષ્ઠ નેતા વિક્રમ વર્મા- અલીરાજપુર, વિનોદ સોનકર- અશોકનગર, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ- ટીકમગઢ, છત્તીસગઢના પૂર્વ મંત્રી બૃજમોહન અગ્રવાલ અને પૂર્વ મંત્રી વિશ્વાસ સારંગ- રાજગઢ અને કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોત- મંદસોર અને કેન્દ્રીય મંત્રી ફહગ્ગનસિંહ કુલસ્તે- ડિંડોરીમાં સમેલન કરશે. આ અભિયાનમાં પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ 12 જાન્યુઆરીએ જબલપુરમાં સંમેલનમાં ભાગ લેશે.