મોંઘવારીને કારણે એક કિલો ધાનના 19 રુપિયા મળી જાય છે
શિવરાજ સરકારના નાગરિક પુરવઠા મંત્રી બિસહુલાલ સિંહે જણાવ્યું કે પહેલા એક રુપિયામાં 10 કિલો ધાન મળી જતું હતુ પરંતુ મોંઘવારી વધવાને કારણે હવે એક કિલો ધાનના 19 રુપિયા મળી જાય છે.
#WATCH |"Earlier people used to buy 10 kg rice at Re 1 nowadays 1 kg of rice is being sold at Rs19. If farmers are getting benefits like this, then inflation should be accepted," Madhya Pradesh Food, Civil Supplies, and Consumer Protection Minister Bisahulal Singh said in Bhopal pic.twitter.com/qpdxyOJiFB
મોંઘવારી અંગેનો હિસાબ સમજાવતા મંત્રીએ કહ્યું કે મોંઘવારીનો બધાએ સ્વીકાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે દિલચસ્પ વાત એ છે કે જ્યારે ધાન 1 રુપિયામાં 10 કિલો મળતું હતું ત્યારે ખર્ચ ફક્ત 1 રુપિયો હતો અને આજે જ્યારે ધાન 19 રુપિયામાં કિલો મળે છે ત્યારે ખર્ચ 38 રુપિયા છે.
ડીઝલના વધતા ભાવે મુસીબત વધારી
ડીઝલ, ગેસ અને રોજબરોજની વસ્તુઓની વધતી મોંઘવારીથી ખેડૂતો પરેશાન છે. તેમની પરેશાનીનું મુખ્ય કારણ ખેતીનો ખર્ચ વધવાનું અને નફો ઘટવાનું છે. કૃષિ સાધનો, ખાતર, જંતુનાશક દવાઓના ભાવમાં વધારાને કારણે કૃષિનો ખર્ચ વધ્યો છે. દેશમાં ખાતરની તંગી અને ડીઝલના વધતા ભાવને કારણે ખેડૂતોને વધારે પરેશાની વેઠી રહ્યાં છે.