બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં જલ્દી નવી સરકારનું ગઠન થશે. પરંતુ આ પહેલા ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દૂબેએ નીતિશ કુમારને એક મહત્વની અપીલ કરી છે. તેમણે નીતિશ કુમારને બિહારમાં રહેલી દારુબંધી પર વધારે વિચાર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આનાથી રાજ્યમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.
4 વર્ષમાં 4 લાખની ધરપકડ, 4000 કરોડનું નુકસાન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આગ્રહ છે કે દારુબંધી પર સંશોધન કરે
સરકારી રાજસ્વને નુંકસાન પહોંચે છે
बिहार के मुख्यमंत्री @NitishKumar जी से आग्रह है कि शराब बंदी में कुछ संशोधन करें,क्योंकि जिनको पीना या पिलाना है वे नेपाल,बंगाल,झारखंड,उत्तरप्रदेश,मध्यप्रदेश,छत्तीसगढ़ का रास्ता अपनाते हैं,इससे राजस्व की हानि,होटल उद्योग प्रभावित तथा पुलिस, एक्साइज भ्रष्टाचार को बढ़ावा देते हैं
ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ટ્વીટ કરી કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આગ્રહ છે કે દારુબંધી પર સંશોધન કરે. કેમ કે જેમને પીવું છે એને પીવડાવવું છે તેઓ નેપાળ, બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો રસ્તો અપનાવે છે. જેનાથી સરકારી રાજસ્વને નુંકસાન પહોંચે છે હોટલ ઉદ્યોગ પર અસર પડે છે તથા પોલીસ અને એક્સાઈઝ ભ્રષ્ટાચાર વધે છે.
ઉલ્લેખનીય છે કે દારુબંધીને નીતિશ કુમારના મોટા નિર્ણયોમાંનો એક ગણવામાં આવે છે. આ જ કારણથી તેમને રાજ્યમાં મહિલા મતદાતા સાથ આપે છે. સાથે વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદાતાઓ જદયૂ સહિત એનડીએને મન મૂકીને વોટ આપે છે. જો કે ચૂંટણીના માહોલમાં અનેકવાર દારુ જપ્ત કરવામાં આવી છે. વિપક્ષે નીતિશના આ નિર્ણયને નિષ્ફળ ગણાવ્યો છે અને ભ્રષ્ટાચાર વધવાનું કારણ ગણાવ્યો છે.
4 વર્ષમાં 4 લાખની ધરપકડ, 4000 કરોડનું નુકસાન
નીતિશ કુમારે ગત ચૂંટણી 2015માં દારુ બંધીનો વાયદો કર્યો હતો અને રાજ્યમાં 2016માં તેને અમલમાં મુક્યો હતો. ગત 4 વર્ષથી દારુ બંધીના કાયદા હેઠળ 4 લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજ્યની તિજોરીને 4 હજાર કરોડનું નુકસાન થયું છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. કોંગ્રેસે ઢંઢેરામાં દારુબંધીના કાયદામાં સંશોધનની વાત કરી હતી. ત્યારે રાજદ નેતાઓએ પોતાની સરકાર બન્યા બાદ ફરી દારુના વેચાણનો વાયદો કર્યો હતો.