બિહારમાં હોળીની ઉજવણી દરમિયાન દારૂ પીવાથી અનેક લોકો બીમાર પડ્યાં તો અનેક જિલ્લામાં મોતના સમાચાર સામે આવ્યાં છે.
અનેક લોકો દારૂ પીધા બાદ હોસ્પિટલમાં દાખલ
તમામના મોત શંકાસ્પદ સંજોગોમાં થયા: પોલીસ
ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત નિપજ્યાં
બિહારમાં રંગોનો તહેવાર હોળી કેટલાંક લોકો માટે શોકમાં ફેરવાઈ ગયો. રાજ્યના ત્રણ જિલ્લામાં હોળીની ઉજવણી દરમિયાન ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુ બાદ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે, ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ મૃત્યુમાંથી 10 મૃત્યુઆંક જિલ્લામાં થયા છે. ઝેરી દારૂ પીધા બાદ અહીં અનેક લોકો હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યાં છે. માત્ર ભાગલપુર જિલ્લામાં આઠ લોકોના મોત નિપજ્યાં છે.
મોત બાદ પોલીસ પ્રશાસને મૌન સેવ્યું
આ ઘટનાઓ બાદ મૃતકોના સંબંધીઓનું કહેવું છે કે, તમામ મોત ગામ અને શહેરમાં છૂપી રીતે વેચાતા ઝેરી દારૂના કારણે થયા છે. બીજી તરફ પૂરા ઘટનાક્રમ પર બાંકાના એસપી અરવિંદ કુમાર ગુપ્તાનું કહેવું છે કે, ઝેરી દારૂના કારણે મોતના કોઈ અહેવાલ નથી. તેઓએ કહ્યું કે, જે સંજોગોમાં લોકોના મોત થયા છે તે શંકાસ્પદ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ કંઇ કહી શકાય છે.
ભાગલપુરમાં થયેલા મોતની કોઈ વહીવટી પુષ્ટિ નથી
ભાગલપુરના નાથનગર વિસ્તારના સાહેબગંજ વિસ્તારમાં બનેલી ઘટના અંગે સંબંધીઓનું કહેવું છે કે, હોળીના દિવસે બધાએ દારૂ પીધો હતો. મૃતક વિનોદ યાદવની પત્નીએ મીડિયાને જણાવ્યું કે, હોળીના દિવસે તેના પતિએ દારૂ પીધો ત્યારથી તેઓની તબિયત બગડવા લાગી. આ ઘટનામાં સંદીપ યાદવ, વિનોદ રાય, મિથુન કુમાર, નિલેશ કુમારના મોત થયા છે. આ સાથે એક યુવક અભિષેક કુમાર ઉર્ફે છોટુ સાહની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેની હાલત નાજુક હોવાનું કહેવાઇ રહ્યું છે.
નાથનગરના સાહેબગંજમાં પણ મામલો સામે આવ્યો
વિનોદ સિંહના પરિવારજનોના જણાવ્યાં અનુસાર, ભાગલપુરના નાથનગરના સાહેબગંજ વિસ્તારમાં હોળીની સવારે દરેક વ્યક્તિ બોટલ લઈને ઘરે આવ્યા હતાં. ત્યાર બાદ તેઓએ દારૂ પીધો હતો. પરંતુ થોડા સમય બાદ તેઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તમામ મૃતકો એક જ ગામના છે. મૃતકોના સંબંધીઓનું કહેવું છે કે, હોસ્પિટલમાં દાખલ કરતી વખતે ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે, તમામના મૃતદેહની સ્થિતિ દારૂ પીવા તરફ ઈશારો કરી રહી છે. જ્યારે સ્થાનિક પોલીસના ડીએસપી પ્રકાશ કુમારનું કહેવું છે કે, અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ મોતની પુષ્ટિ થઈ છે. જેમાં મૃત્યુ કેમ અને કેવી રીતે થયું તે અંગેની માહિતી તેઓ એકત્રિત કરી રહ્યાં છે.
મધેપુરા જિલ્લાના મુરલીગંજમાં 4 લોકોના શંકાસ્પદ મોત
એ જ રીતે મધેપુરા જિલ્લાના મુરલીગંજમાં 4 લોકોના શંકાસ્પદ મોત થયા છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આ મોત દારૂના નશાના કારણે થયું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધેપુરામાં અત્યાર સુધી હોળીમાં ઝેરી દારૂ પીવાથી 22 લોકો બીમાર પડ્યા છે. જેઓને વારાફરતી સારવાર માટે મુરલીગંજ પીએચસી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. 3 મૃતકો દિગ્ધીના હોવાનું કહેવાય છે, જ્યારે એક મુરલીગંજ મુખ્ય બજારના વોર્ડ 9નો રહેવાસી છે. જો કે પોલીસ અને પરિવારજનો દારૂના કારણે મોત થયાનો ઈન્કાર કરી રહ્યાં છે, પરંતુ પોલીસ દ્વારા રાત્રિના અંધારામાં દરેક મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તમામ લોકો સંપૂર્ણ સ્વસ્થ હતા અને હોળી રમી રહ્યાં હતાં પરંતુ દારૂ પીધા બાદ બધાની હાલત ખરાબ થઈ ગઈ. જેમાં ચાર લોકોના મોત થયા હતાં.