ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારને અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે યોગી સરકારના ઓબીસીની 17 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કરવાના આદેશ પર સ્ટે આપ્યો છે.
યોગી સરકારને અલ્હાબાદ કોર્ટે આપ્યો ઝટકો
17 જાતિને અનુસૂચિત યાદીમાં મુકવાના આદેશ પર સ્ટે
સામાજિક કાર્યકર્તાએ કરી હતી અરજી
હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ રાજ્ય સરકારના નિર્ણયને ખોટો માન્યો છે અને મુખ્ય સચિવ સમાજ કલ્યાણ મનોજકુમાર સિંહને વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે 24 જૂને યોગી સરકારે એક આદેશ જાહેર કર્યો હતો અને અનુસૂચિત જાતિમાં 17 ઓબીસી જાતિઓનો સમાવેશ કર્યો હતો.
સામાજિક કાર્યકર્તાની અરજી પર સુનાવણી
સામાજિક કાર્યકર્તા ગોરખ પ્રસાદે અરજી દાખલ કરીને સરકારના આ આદેશને ગેરલાયક ઠેરવ્યો હતો. જેના પર સોમવારે જસ્ટિસ સુધીર કુમાર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રની ડિવીઝન બેંચે સુનાવણી કરી હતી. કોર્ટે તરત જ માન્યતા આપી કે સરકારનો નિર્ણય ખોટો છે અને સરકારને આવા નિર્ણય લેવાનો અધિકાર નથી. માત્ર સંસદ જ એસસી-એસટીની જાતિ બદલી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને બંધારણીય અધિકાર નથી.
આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાના જાહેર કર્યા હતા આદેશ
પછાત વર્ગની 17 જાતિઓને અનુસૂચિત જાતિના લિસ્ટમાં ઉમેર્યા હતા. તેમાં કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુમ્હાર, પ્રજાપતિ, ધીવર, બિન્દ, ભર, રાજભર, જેવી તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.