ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પિતા પ્રેમસિંહ ચૌહાણનું આજે નિધન થયું છે. એમણે 85 વર્ષના હતા. તેમના નિધન પર ભાજપના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કમલનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહએ ટ્વિટ કરી પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
આપને જણાવીએ કે શિવરાજના પિતા કેટલાય દિવસોથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા. એક દિવસ પહેલા જ તેમણે ઉપચાર માટે ભોપાલથી મુંબઇ મોકલવામાં આવ્યા હતા. પ્રેમસિંહ ચૌહાણને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના દેહાંતના સમાચાર વિશે જાણ મળતા જ શિવરાજ સિંહ મુંબઇ જવા રવાના થયા હતા. ભાજપની જીત પર શિવરાજ સિંહે મીડિયા સાથે વાતચિત કરી હતી. આ દરમિયાન એમને આ દુ:ખદ સમાચાર મળ્યા.
પાર્ટીના પ્રદેશ મીડિયા પ્રભારી લોકેન્દ્ર પારાશરે ટ્વિટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા. શ્રી ચૌહાણ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ હતા. તે સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સક્રિયતાથી સામેલ થતા હતા.
— Lokendra Parashar (@LokendraParasar) May 25, 2019
ઉજ્જૈનના મહાકાલ મંદિરની સાથે જ ઇન્દોરના સાંવરમાં ઉલ્ટા હનુમાન મંદિરમાં પણ પ્રમુખ પર્વ પર દર્શનો માટે જતા હતા. સીએમ કમલનાથે પણ શિવરાજ સિંહે ચૌહાણના પિતાના અવસાનના સમાચાર બાદ શોક વ્યક્ત કરતા પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી. મુખ્યમંત્રી કમલનાથે પોતાનો શોક સંદેશ ટ્વિટ પર વ્યક્ત કર્યો છે.
प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह के पिता प्रेम सिंह जी के दुखद निधन की ख़बर प्राप्त हुई।
परिवार के प्रति मेरी शोक संवेदनाएँ।
दुख की इस घड़ी में हम सभी परिवार के साथ।
ईश्वर मृत आत्मा को अपने श्रीचरणो में स्थान व परिजनो को यह दुःख सहने की शक्ति प्रदान करे।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) May 25, 2019