ભાવનગરની ગાંધી મહિલા કૉલેજ વિવાદમાં આવી છે. ગાંધી મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓને ભાજપના સભ્ય બનવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ આચાર્ય દ્વારા ભાજપના સભ્ય બનવા માટે વિદ્યાર્થિનીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જેથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આચાર્યની વિવાદિત નોટિસને કારણ ભાવનગર કોંગ્રેસ કુલપતિને રજૂઆત કરી હતી..જેમાં કૉલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.ભાવનગરની ગાંધી મહિલા કૉલેજના ઈન્ચાર્જ આચાર્ય રંજનબેન ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આચાર્યએ વિદ્યાર્થિનીઓને એક નોટિસ પાઠવી હતી. જેમાં ભાજપના સભ્ય બનવા કહેવામાં આવ્યું હતું. આ વિવાદિત નોટિસને લઇ આચાર્યનો મોટા પાયે વિરોધ શરૂ થયો હતો. જેને કારણે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
સુરતમાં AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આજે ભાવનગરમાં બનેલી આ ઘટના મુદ્દે પ્રેસ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ આરોપ કરતાં કહ્યું કે ભાવનગરમાં એક કોલેજમાં વિદ્યાર્થિનીઓને પેજ કમિટીના સભ્ય બનવાવા નોટિસ અપાઈ, શું દીકરીઓ ભાજપના કાર્યકર બનવા કોલેજ ગઈ છે?. કોઈ પાર્ટીના સભ્ય બનવું સ્વૈચ્છિક વસ્તું છે, કોઈ પર દબાણ ન કરી શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો સાથે કહ્યું હતું કે લોકો માને છે આ વખતે પરિવર્તન આવશે કારણ કે ગુજરાતમાં AAP મજબૂતથી આગળ વધી રહી છે.AAP આગળ વધે છે એમાં ભાજપ ડરે છે
ઉપ કુલપતિ પર બંગડીઓ ફેંકવામાં આવી
ભાવનગરમાં આવેલ ન.ચ.ગાંધી મહિલા કોલેજ પોતાની વિદ્યાર્થીનીઓને ભાજપમાં સભ્ય બનવા માટે ફરજ પડતી એક નોટિસ કોલેજના આચાર્ય એ બહાર પાડતા ખળભળાટ મચી ગયો છે આ મુદ્દે કોંગ્રેસ અને આપ તથા ભાજપ પણ આમને સામને આવી ગયા છે જો કે વિવાદ ની વચ્ચે કોલેજના આચાર્ય એ રાજીનામુ ધરી દેતા આ વિવાદ હાલ પૂરતો સમી જશે તેમ મનાઈ રહ્યું હતું પરંતુ કોંગ્રેસ અને આપ દ્વારા ઉપ કુલપતિની ચેમ્બરમાં હલ્લા બોલ કરતા મામલો બિચક્યો છે ઉપ કુલપતિ પર બંગડીઓ ફેંકવામાં આવી હતી આખરે પરિસ્થિતિ ને જોઈ ને ઉપ કુલપતિએ કોલેજના ટ્રસ્ટીઓને બોલાવી આ મામલે તાકીદે એક કમિટીની રચના કરીને આચાર્યને ફરજમાં નહીં લેવા આદેશ કર્યો છે.
કોંગ્રેસ-આપ- ભાજપના એકબીજા પર શાબ્દિક પ્રહાર
ભાવનગરની આ ન.ચ.ગાંધી મહિલા કોલેજ ભાવનગર યુવનિવર્સિટીના નેજા હેઠળ કામ કરે છે. અને હાલ અહીં ટ્રસ્ટી મંડળ તેનો વહીવટ ચલાવે છે. કોંગ્રેસ અને આપનો આક્ષેપ છે કે આ આચાર્યની પાછળ પૂર્વ શિક્ષણમંત્રી અને હાલના શિક્ષણમંત્રીનો હાથ છે અને જવાબદાર સામે પગલાં લેવાવા જોઈએ, જો કે ભાજપ નું કહેવું છે કે આમાં ભાજપના કાર્યકર કે આગેવાનોનો કોઈ રોલ જ નથી.
શિક્ષણના ધામને રાજકીય અખાડો કોણ બનાવે છે?
સામાન્ય રીતે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને કોઈ પણ પાર્ટીમાં સત્તાવાર સભ્ય બનાવવા માટેના આદેશ અપાતા નથી પરંતુ મહિલા કોલેજ ગઈકાલે આચર્યાની ભૂલ કે પછી કોઈ ષડયંત્રના ભાગ રૂપે નોટિસ બહાર પાડવામાં આવી તે તપાસનો વિષય છે. બનાવ બન્યો તે પણ શિક્ષણમંત્રીના શહેરમાં જ તે એક નવાઈ છે . ચૂંટણી સમયે હાલ તો વિપક્ષને આંદોલનનો મુદ્દો મળી ગયો છે.