ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે એવી માગ કરી છે કે રાજપિપળાથી અંકલેશ્વર સુધીની રેલ્વે લાઈન ફરી શરૂ કરવામાં આવે.
ભરૂચના સાંસદે પીએમ મોદીને લખ્યો પત્ર
રાજપીપળા-અંકલેશ્વર રેલવે લાઇનને ફરી શરૂ કરવા માગ
અંકલેશ્વર-રાજપીપળા રેલવે લાઇનને SOU સુધી પણ જોડવા માગ
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુમાં ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. જેમા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યો છે. પીએમ મોદીવે પત્ર લખીને સાસંદ મનસુખ વાસાવાએ અમુક રેલ્વે સેવાઓનો ઉલ્લેખ કરી માગણી કરી છે.
રાજપીપળા-અંકલેશ્વર લાઈનને ફરી શરૂ કરવા કરી માગ
સાંસદ મનસુખ વાસાવાએ વડાપ્રધાનને પત્ર લખીને રાજપીપળાથી અંકલેશ્વર રેલ્વે લાઈનને ફરીથી શરૂ કરવા માગ કરી છે. જેથી ત્યાથી આવતા જતા મુસાફરોને રાહત મળી રહે. આ સીવાય તેમણે વધુ એક માગ કરી છે. જેમા તેમણે એવું કહ્યું થે કે અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે લાઈનેન SOU સુધી જોડવામાં આવે.
15 કિમી નવી બ્રોડગેજ લાઈન નાખવા રજૂઆત કરી
આપને જણાવી દઈએ કે અંકલેશ્વરથી-રાજપીપળા રેલ્વે લાઈનને SOU સુધી જોડવા માટે મનસુખ વસાવાએ 15 કિમી નવી બ્રોડગેજ લાઈન નાખવા માટે રજૂઆત કરી છે. જેમા તેમણે પીએમ મોદીને પત્ર લખીને તેમણે માગ કરી છે. જેથી મુસાફરોને જે પણ તકલીફો પડી રહી છે. તે દૂર થાય અને મુસાફરોને સારી સુવિધા મળી રહે.
વડોદરાથી એકતાનગર સુધીની રેલ્વે સેવા સારી ન હોવાનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે સાસંદ મનસુખ વસાવાએ પીએમને જે પત્ર લખ્યો છે. તેમા તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે વડોદરાથી એકતાનગર સુધીની રેલ્વે સુવિધા સારી નથી. આપને જણાવી દઈએક ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે વધુમાં તેમણે ફરી પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેથી તેઓ ચર્ચામાં છે.