ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ 3 મે સુધી પ્રીપેડ એકાઉન્ટની વેલિડિટી વધારવાની જાહેરાત કરી છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થવાને કારણે હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારી દેવાયું છે.
ટેલિકોમની આ બે કંપનીએ ગ્રાહકોની આપી મોટી રાહત
કંપનીએ પ્રીપેડ એકાઉન્ટની વેલિડિટી વધારી
હવે ગ્રાહકોને આ તારીખ સુધી મળશે વેલિડિટી
અગાઉ એરટેલ અને વોડાફોને ગ્રાહકોના એકાઉન્ટની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી દીધી હતી અને 10 રૂપિયાનો ટોકટાઈમ પણ ઓફર કર્યો હતો. હવે લોકડાઉન વધતા આ બંને કંપનીઓ પ્રીપેડ યુઝર્સની એકાઉન્ટ વેલિડિટીને 3 મે સુધી વધારી દીધી છે. વોડાફોન આઈડિયાએ કહ્યું કે, આ નિર્ણયથી 90 મિલિયન લો ઈન્કમ ફીચર ફોન યુઝર્સને આનો ફાયદો મળશે. જ્યારે એરટેલે કહ્યું, લો ઈન્કમ કસ્ટમર્સના એકાઉન્ટની વેલિડિટી વધારી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, બંને કંપનીઓની એક મિનિમમ રિચાર્જ પોલિસી છે. જે હેઠળ કોઈપણ યુઝર વર્તમાન પ્લાન એક્સપાયર થયા બાદ સાત દિવસ પછી ઈનકમિંગ કોલ્સ આવવાના બંધ થાય છે. હવે એક નવી પ્રેસ રિલીઝમાં એરટેલે કહ્યું કે, આવા લગભગ 30 મિલિયન ગ્રાહક છે જેઓ લોકડાઉન દરમિયાન તેમનો નંબર રિચાર્જ કરાવી નથી શકી રહ્યાં છે. જેથી આવા લોકોની મદદ માટે કંપનીએ પ્રીપેડ એકાઉન્ટ વેલિડિટીને 3 મે સુધી વધારી દીધી છે.
એનો મતલબ એ છે કે, આવા ગ્રાહકોની પાસે એક્ટિવ રિચાર્જ પ્લાન નહીં હોય તો પણ તેમને ઈનકમિંગ વોઈસ કોલ્સ મળતા રહેશે. બીજી બાજુ વોડાફોન આઈડિયાએ લોકડાઉનના પહેલાં ફેઝમાં ગ્રાહકોને 17 એપ્રિલ સુધી ફ્રીમાં એકાઉન્ટ વેલિડિટી વધારી દીધી હતી અને 10 રૂપિયાનો ટોકટાઈમ પણ આપ્યો હતો.
હવે કંપનીએ 3 મે સુધી ફીચર ફોનનો ઉપયોગ કરનારા 90 મિલિયન લો-ઈનકમ પ્રીપેડ કસ્ટમર્સ માટે ઈનકમિંગ સર્વિસને એક્સટેન્ડ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે, એલિજિબલ યુઝર્સના એકાઉન્ટમાં ઈનકમિંગ વેલિડિટી એક્સટેન્શનને ક્રેડિટ કરી દેવામાં આવશે. આ પહેલથી લો-ઈન્કમ ફીચર ફોન યુઝર્સ લોકલ ઓથોરિટી અને પોતાના પરિવાર સાથે જોડાયેલા રહી શકશે.