બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / best and natural remedies For Common Health Problems in double season

સર્વે સન્તુ નિરામયા / આ 5 વસ્તુઓ ઘરમાં રાખશો તો ગમે તે સીઝન હશે તમારી 5 તકલીફો તરત દૂર કરી દેશે, જાણી લો

Noor

Last Updated: 12:03 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીઝન બદલાતા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થવા લાગ છે. જો તમને પણ ડબલ ઋતુમાં કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 ઉપાય નોંધી લો.


સીઝન બદલાતા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થવા લાગ છે. જો તમને પણ ડબલ ઋતુમાં કેટલીક સમસ્યાઓ થાય છે તો આ 5 ઉપાય નોંધી લો.

  • આ 5 વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખવી
  • સીઝન બદલાતા થતી તકલીફોમાં બેસ્ટ છે આ વસ્તુઓ
  • તમારી ઘણી સમસ્યાઓને ઠીક કરી દેશે આ વસ્તુઓ

બદલાતી સીઝનમાં ઘણાં પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેમ કે પાચન નબળું થઈ જવું, ખાવામાં અરૂચિ, સાંધાઓમાં દુખાવો થવો, શરદી, કફ, ગળામાં દુખાવો, સ્કિન અને હેર પ્રોબ્લેમની સમસ્યા વધી જાય છે. તમારી આ તમામ સમસ્યાઓમાં રામબાણનું કામ કરશે આ પાંચ વસ્તુઓ. આ વસ્તુઓ હમેશાં તમારા ઘરમાં રાખવી, જેથી જરૂર પડે તમે તરત જ તેનો ઉપયોગ કરીને તમારી તકલીફને દૂર કરી શકો. રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓમાં દવાઓ ખાવા કરતાં અહીં જણાવેલી 5 વસ્તુઓનું સેવન કરો.

નીલગિરીનું તેલ

નીલગિરીનું તેલ નાક બંધ થવા સમસ્યામાં લાભકારી છો. પાણીને ઉકાળી તેમાં 2-3 ટીપાં નીલગિરી તેલ નાખી દો. પછી તેનાથી સ્ટીમ લેવાથી કફ, શરદી અને બંધ નાકની સમસ્યા દૂર થાય છે. 

સાકર

દરેકે ઘરમાં સાકર રાખવી જોઈએ. જમ્યા બાદ ઘણાં લોકો વરિયાળી અને સાકર ખાય છે. બહુ ઓછાં લોકો જાણે છે કે સાકર આપણાં સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે. તેનું સેવન કફ અને ખાંસીની સમસ્યા દૂર કરે છે. સાથે જ ગળાના દર્દમાં પણ તે લાભકારી છે. દિવસમાં બેવાર તેનું સેવન કરી શકો છો. તમે રસાકરવાળું દૂધ પણ પી શકો છો. 

વરિયાળી

વાતાવરણમાં ઠંડક વધવા પર સૌથી પહેલી અસર પાચન પર પડે છે. જમ્યા બાદ થોડી વરિયાળી ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. વરિયાળી એસિડિટી અને અપચાની સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે. 

કપૂર

ડબલ ઋતુમાં સાંધાનો દુખાવો ખૂબ જ વધી જાય છે. એવામાં કપૂર બહુ જ કામ આવી શકે છે. નારિયેળ તેલમાં કપૂર ઓગાળી તેને નવશેકું ગરમ કરી સાંધા પર મસાજ કરવાથી સાંધાનો દુખાવો અને સોજામાં આરામ મળે છે. 

એલોવેરા

વાતાવરણમાં ભેજ અને ઠંડકને કારણે સ્કિન અને વાળ એકદમ બેજાન થઈ જાય છે અને ખુજલી પણ આવે છે. આ સમસ્યા માટે એલોવેરા જેલમાં વિટામિન ઈની ટેબ્લેટ મિક્સ કરીને સ્કિન પર અને વાળના મૂળમાં લગાવો. તેની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઈન્ફેક્શનથી પણ બચાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ