કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 2 મહિના એટલે કે 11 ઓગસ્ટના રોજ હિંસાને કારણે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન હિંસા પીડિત એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેના ઘરને એટલા માટે નિશાનો બનાવવામાં આવ્યો હતો કેમ કે તેણે મોદીને સમર્થન આપ્યુ હતુ અને એપ્રિલ મહિના દરમિયાન કોરાનાને લઈને પીએમની અપીલ પર દિવા સળગાવવામાં આવ્યા હતા.
પીએમની અપીલ પર દિવા સળગાવવામાં આવ્યા હતા
તેણે મોદીને સમર્થન આપ્યુ હતુ એટલે તેને નિશાન બનાવાયો
દંગાખોરોએ મારા ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા પછી
એક મીડિયા સાથે વાત કરતા પીડિત વ્યક્તિએ કહ્યું કે પહેલા દંગાખોરોએ મારા ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા પછી ઘરમાં હુમલો કર્યો. ભીડે ઘરની બહાર બે બાઈક સળગાવી. તેને કેમ નિશાન બનાવવામાં આવ્યો આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે આ વિસ્તારમાં એક પણ ઘરે દિવો સળગાવવાની વાતમાં ભાગ નહોતો લીધો મે તેને લઈને તેમને સવાલ કર્યો હતો. તેમણે આનાથી ઉલ્ટુ કરી મારા પર કેસ દાખલ કરાવી દિધો. મને લાગે છે તેમણે આ વિશે કોઈને જણાવ્યુ હતું એટલા માટે મારા ઘરને નિશાન બનાવવામાં આવ્યુ.
CCBના જણાવ્યાનુંસાર સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલી વાંધાજનક પોસ્ટના 3 કલાકથી પણ ઓછા સમયમાં હિંસા ભડકી હતી. કેન્દ્રીય સીસીપી ના ડીસીપી કુલદીપ જૈને આઈએએનએસને જણાવ્યું કે નવીનને વાંધાજનક સંદેઓ પોતાના ફેસબુક પર લગભગ 6 વાગે પોસ્ટ કર્યો હતો. અને રાત્રે 9 વાગે હિંસા ભડકી હતી.
ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટે કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ કથિત રુપે ફેસબુક પર વાંધાજનક પોસ્ટ કરી હતી જેમાં પૈગમ્બર મોહમ્મદને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે નવીને દાવો કર્યો કે તેનું ફેસબુક હેક થયું છે પછી તેણે સ્વીકાર્યુ કે તે પોસ્ટ તેણે જ કરી છે. મૂર્તિએ દાવો કર્યો હતો કે હિંસાખોરોએ ઈસ્લામિક નારો લગાવતા લાઠી, ડંડા અને પેટ્રોલ બોમ લેસ 4 હજારથી વધારે લોકોએ તેના 50 વર્ષ જુના પૈતૃક ઘરમાં આગ લગાવી દીધી હતી. હિંસાખોરોએ 1 પોલીસ બસ સહિત 300 વાહનો સળગાવ્યા હતા.