અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં જ જણાવ્યું કે નાનપણમાં જ્યારે તે ઇન્ડોનેશિયામાં રહેતા હતા ત્યારે હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળતા હતા, માટે તેમના મનમાં ભારત માટે એક વિશેષ સ્થાન રહ્યું છે.
બરાક ઓબામાએ મહાભારત વિશે કરી વાત
નાનપણમાં સાંભળ્યુ હતુ રામાયણ
મહાકાવ્યોથી ભારત માટે મનમાં અલગ સ્થાન
ઓબામાએ એ પ્રોમિઝ્ડ લેન્ડ નામના પુસ્તકમાં ભારત પ્રત્યેના આકર્ષણ વિશે લખ્યું છે. તેમણે લખ્યું કે, બની શકે ભારતનો આકાર આકર્ષિત કરે છે. જ્યાં દુનિયાની જનસંખ્યાનો છઠ્ઠો હિસ્સો રહે છે, જ્યાં બે હજારની આસપાસ વિભિન્ન જાતિના સમુદાય રહે છે અને જ્યાં 700થી વધુ ભાષા બોલાય છે. વધુમાં તેમણે કહ્યું તે 2010માં રાષ્ટ્રપતિના રૂપમાં ભારતની યાત્રા કરી હતી, તે પહેલા તે ક્યારેય ભારત ગયા ન હતા. આ દેશ મારી કલ્પનામાં હંમેશા વિશેષ રહ્યો છે.
ઓબામાએ કહ્યું કે, આનું એક કારણ તે પણ હોઇ શકે કે ઇન્ડોનેશિયામાં નાનપણ દરમિયાન મેં હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળી હતી. કદાચ તેના કારણે જ પાકિસ્તાની અને ભારતીય લોકોનું ગ્રુપ કોલેજમાં હતું. જેમણે મને દાળ અને ખીમો બનાવતા શીખવાડ્યો તેમજ બોલિવૂડની ફિલ્મો બતાવી હતી.
તેમના પુસ્તકમાં ઓબામાએ 2008માં ચૂંટણી પ્રચાર અભિયાનથી લઇને રાષ્ટ્રપતિના રૂપમાં પહેલા કર્યકાળના અંતમાં પાકિસ્તાનમાં અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવાના અભિયાન સુધીની પોતાની યાત્રા વિષે આલેખન કર્યું છે. આ પુસ્તકનો બીજો ભાગ પણ આવશે.
બરાક ઓબામાએ સાથે ભારત પ્રત્યે તેમના આકર્ષણનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીને પણ બતાવ્યા હતા. જેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ આંદોલન કર્યુ અને આશાનું કિરણ બતાવ્યું. વધુમાં તેમણે કહ્યં કે, અબ્રાહમ લિંકન, માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલાની સાથે સાથે ગાંધીએ પણ મારી વિચારધારાને પ્રભાવિત કરી છે