કોરોના વાયરસના નવા કેસ સામે આવતા લોકોમાં ખળભળાટ મચ્યો છે. તેમાં બેન્કોએ પણ પોતાનો સમય બદલી નાંખ્યો છે. હવે બેન્ક માત્ર 4 કલાક જ ચાલુ રહેશે.
ભારતમાં બદલાઇ ગયો બેન્કનો સમય
માત્ર 4 કલાક જ થશે બેન્કના કામ
31 મે સુધી આ નિયમ રહેશે લાગૂ
ભારતીય બેન્ક સંઘના બેન્ક કર્મિઓએ સુરક્ષા મુદ્દે ગયા મહીને રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતીના સંયોજકોઇ કહ્યું કે રાજ્યોમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તે રીતે બેન્કના સમયમાં બદલાવ જરૂરી બન્યો છે.
આ નિર્દેશને દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ લાગૂ કરી દીધો છે અને તેની સાથે પ્રાઇવેટ બેન્કમાં પણ આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ કેટલા વધે છે તેના પર બેન્કના આગળના નિયમ બદલાશે.
31 મે સુધી આ નિયમો રહેશે લાગૂ
જો તમારે બેન્કનું કોઇ પણ કામ છે તો યાદ રાખજો કે મોટાભાગની બેન્ક સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ કામ કરશે. બેન્ક બંધ થવાનો આ સમય 31 મે સુધી યથાવત રહેશે.
આ 4 સેવાઓ રહેશે ચાલુ
આ નિયમો અનુસાર બેન્કમાં આ 4 સેવાઓ ચાલુ રહેશે. ગ્રાહક બેન્કમાં કેશ જમા કરાવી શકશે, પૈસા કાઢી શકશે, ચેકથી જોડાયેલા કામ કરી શકશે અને ડિમાન્ડ ડ્રાફ્ટથી જોડાયેલવા કામ ચાલુ રહેશે.
બેન્કમાં 50 ટકા સ્ટાફ જ કરશે કામ
તે પણ કહેવામાં આવ્યુ છે કે કોરોના સંક્રમણને જોતા બેન્કમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરવામાં આવશે. એસોસિએશનના હિસાબે વધતા કોરોના સંક્રમણના કારણે ખુબ ધ્યાન રાખવાની જરૂર છે. આ જ કારણે બેન્કના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.