એલોપેથીના કેટલાક ડોક્ટરો રાક્ષસો કરતા પણ વધારે ખરાબ- સુરેન્દ્ર સિંહ
આ ધારાસભ્યએ ગૌ મૂત્રના સેવનથી કોવિડ સંક્રમણ ન થતુ હોવાનો દાવો કર્યો હતો
એલોપેથીના કેટલાક ડોક્ટરો રાક્ષસો કરતા પણ વધારે ખરાબ
ઉત્તર પ્રદેશના બલિયા જનપદના બૈરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. એલોપૈથી ચિકિત્સા પદ્ધતિ પર નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલા બાબા રામદેવનો ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બચાવ કર્યો છે. ભાજપના ધારાસભ્યોએ ડોક્ટરો પર નિશાન સાધતા લખ્યું કે આજે એલોપેથીના વિસ્તારમાં 10 રુપિયાની ગોળી 100 રુપિયામાં વેચાઈ રહી છે. તે સમાજના હિતેચ્છી ન હોઈ શકે. તેમણે એલોપેથિક ડોક્ટરોને રાક્ષસ ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે એલોપેથીના કેટલાક ડોક્ટરો રાક્ષસો કરતા પણ વધારે ખરાબ કામ કરી રહ્યા છે.
દર્દીના મોત બાદ ડોક્ટર મૃતકને આઈસીયૂમાં રાખીને પૈસા વસૂલે છે
સુરેન્દ્રએ કહ્યુ કે દર્દીના મોત બાદ એલોપેથિક ડોક્ટર મૃતકને આઈસીયૂમાં રાખીને પૈસા વસૂલે છે. ત્યારે સમાજને યોગ અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ. ભાજપના ધારાસભ્યોએ એલોપેથ અને આયુર્વેદ બન્નેની સરખામણી કરતા આયુર્વેદને એલોપેથીની સમકક્ષ ગણાવવામાં આવી છે. સુરેન્દ્રએ રામદેવનું હૃદયથી અભિનંદર કરતા લખ્યુ કે રામદેવે આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ ભારત, સમર્થ ભારત, અભિયાનની શરુઆત કરી છે. જે સરાહનીય છે. સુરેન્દ્ર સિંહે આ વિવાદમાં રામદેવનો ખુલી બચાવ કર્યો છે.
#WATCH | BJP MLA Surendra Singh in UP's Ballia claimed drinking cow urine has protected him from coronavirus. He also recommended people to 'drink cow urine with a glass of cold water'. (07.05)
ગૌ મૂત્રના નિયમિત સેવનથી કોવિડ સંક્રમણ ન થતુ હોવાનો દાવો કર્યો હતો
આની પહેલા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રએ ગૌ મૂત્રના નિયમિત સેવનથી કોવિડ સંક્રમણ ન થતુ હોવાનો દાવો કર્યો હતો. સુરેન્દ્રના આ દાવાને લઈને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ પોતે ગૌ મૂત્ર પીતા નજરે પડી રહ્યા છે. તે દોવો કરી રહ્યા છે કે તે નિયમિત રુપથી ગૌ મૂત્રનું નિયમિત સેવન કરે છે જેનાથી તે પૂરી રીતે સ્વસ્થ રહે છે. એટલુ જ નહીં તેમણે તમામને ગૌ મૂત્ર પીવાની સલાહ આપી રહ્યા છે.