બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Bajrang Dal activists beat up youth in UP's Kanpur in protest of conversion
Vishnu
Last Updated: 11:29 PM, 12 August 2021
ઉત્તરપ્રદેશના કાનપુરમાં રહેતી રાની નામની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પાડોશમાં રહેતા વિધર્મી યુવકે તેમને ધર્મપરિવર્તન માટે દબાણ કરે છે. અને ધર્મપરિવર્તન કરાવા બદલ 20 હજાર રૂપિયાની લાલચ પણ આપી છે. આ મામલે મહિલાએ પોલીસ મથકમાં અને ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મહિલાની ફરિયાદ પર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો લાગ્યા હતા. આ પછી મહિલાએ ખુદ બજરંગના કાર્યકરોની મદદ લીધી હતી.
મહિલાએ બજરંગ દળને કરી ફરિયાદ
સમગ્ર મામલો બજરંગદળને જણાવ્યો હતો. વાતની જાણ થતા બજરંગદળના કાર્યકરોએ યુવકને ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. આ સાથે વિધર્મી યુવકના મોઢે જય શ્રીરામના નારા પણ લગાવડાવ્યા હતા. જો કે, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ કોઈ કાર્યવાહી માટે નહીં. પરંતુ તમાશો જોવા માટે પોલીસ પહોંચી હોય તેમ બજરંગદળ પર એક્શન લીધા નહોતા.
બજરંગ દળના કાર્યકરોએ વિધર્મી યુવકને ઢોર માર માર્યો
એક મહિલાની ફરિયાદ પર બજરંગદળના કાર્યકરોએ વિધર્મી યુવકને માર માર્યો હતો. અને મૂકપ્રેક્ષક બનેલી પોલીસના હવાલે યુવકને કર્યો હતો. જો કે, એ પહેલા બજરંગદળના કાર્યકરોએ યુવકને બેરહેમીથી માર માર્યો હતો. તો ઉપરથી બજરંગદળના કાર્યકરોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા. અને કહ્યું કે, મહિલાની ફરિયાદ પછી પણ પોલીસે ધર્મપરિવર્તન મામલે કોઈ કામગીરી કરી નહોતી
ઉત્તર પ્રદેશની ચૂંટણીના બ્યૂગલ ફુંકાઈ ચૂક્યા છે ત્યારે ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચગી રહ્યો છે. યુવકને તેના ઘરની બહાર લાવી ઢસેડી ઢસેડીને માર મારવામાં આવ્યો બાદમાં યુવકને જય શ્રી રામના નારા બોલવા મજબૂર કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ધર્માતરણના મુદ્દે વિરોધ કરતાં બજરંગદળના કાર્યકર્તાઓએ ખુલ્લે આમ કાયદાના લીરે લીરા ઉડાવ્યા, બજરંગદળના કાર્યકર્તાઓએ ધર્માંતરણના આરોપી બતાવવામાં આવી રહેલા યુવકને ઘરમાંથી પકડ્યા બાદમાં ઢોર માર મારવામાં આવ્યો. આ વખતે આરોપીઓ દ્વારા યુવકની મરજી વિરુદ્ધ જય શ્રી રામના નારા બોલાવવામાં આવ્યા. સૌથી વધુ શરમજનક વાત તો એ છે કે, આ બધુ જ કાનપુર પોલીસની સામે થઈ રહ્યું હતું. પોલીસ બસ કાયદાની ધજજીયા ઊડતી હતી અને તે તમાસો જોઈ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army