બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Bageshwardham's Dhirendra Shastri again in controversy

દાવો / ભારત હિન્દુ રાષ્ટ્ર હશે...: બાગેશ્વરધામ સરકારનો વધુ એક વિવાદ, પ્રયાગરાજમાં આપ્યું નિવેદન

Malay

Last Updated: 02:12 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર માટે આપણે એક થવું જરૂરી છે.

  • બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી વિવાદમાં 
  • હિન્દુ રાષ્ટ્રને લઈને પ્રયાગરાજમાં આપ્યું નિવેદન
  • ... તો ભારત બની જશે હિન્દુ રાષ્ટ્રઃ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

બાગેશ્વર ધામ સરકારના પીઠધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી ચર્ચામાં છે. તેમણે હિન્દુ રાષ્ટ્રને લઈને આપેલા એક નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. પ્રયાગરાજમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'જો 'આપણે બધા સાથે રહીશું તો ભારત હિન્દુ રાષ્ટ્ર બની શકશે.' તેમણે એમ પણ કહ્યું કે, 'હવે હિન્દુ રાષ્ટ્રનું બ્યુગલ વગાડો. ચાલો જાતિવાદને તોડીને આપણે બધા હિન્દુ એક થઈએ.' 

બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં રસ્તા પર ઉતરશે 50 હજાર  સાધુ-સંત, વિવાદો વચ્ચે આપી ચેતવણી | 50 thousand sadhu saints of Madhya  Pradesh will take support of ...

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રયાગરાજમાં 
આજે ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં તેમણે સંગમમાં સ્નાન કર્યું અને ત્યારબાદ તેઓ માગેના મેળામાં સંતોને મળ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય સ્વામી વાયુદેવાનંદની શિબિરની પણ મુલાકાત લેશે. 

નાગપુરની એક સમિતિએ લગાવ્યો હતો આ આરોપ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર નાગપુરની એક અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમિતિના સંયોજકનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કાર કરવાનો દાવો કરે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવે છે. આ સમગ્ર મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી, પરંતુ પોલીસને ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કંઈ જ મળ્યું ન હતું અને તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી.

ગુરુ રામભદ્રાચાર્યએ આપ્યું સમર્થન
આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોને કારણે સતત વિવાદોમાં રહ્યા. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઘણા કોંગ્રેસના નેતાઓએ તેમને ચેલેન્જ પણ આપી હતી. આ પછી તેમના ગુરુ રામભદ્રાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપ્યું. તેમણે કહ્યું, 'મારો શિષ્ય ખૂબ જ સક્ષમ યુવક છે. સારી રીતે કામ કરી રહ્યો છે. ચારિત્રવાન છે. તેમની લોકપ્રિયતાને લોકો પચાવી શકતા નથી. 

Topic | VTV Gujarati

ઘણી વખત કરી ચૂક્યા છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત 
આ પહેલી વખત નથી જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્રને લઈને કોઈ નિવેદન આપ્યું હોય, આ પહેલા પણ તેઓ ઘણી વખત મંચ પરથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે નાતાજી સુભાષચંદ્ર બોસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નેતાજીએ એક નારો આપ્યો હતો કે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ. આજે હું એક નારો આપી રહ્યો છું, તમે મારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ