ખેડૂતો અને કૃષિ બિલ પર વાત કરતા બાબા રામદેવે કહ્યું હતું કે મોદીજી ક્યારેય પણ ખેડૂત વિરોધી ન હોઈ શકે? હું તેમને બે દાયકાથી ઓળખું છું અને જો વાત સરકારની નીતિઓની આવે છે તો હું કહી દેવા માંગુ છું કે હું પણ એક ખેડૂત પુત્ર છું...
રિપબ્લિક ટીવીના કાર્યક્રમમાં સ્મેલ થયા બાબા રામદેવ
શોમાં કહ્યું જો કોઈ સારો નેતા બતાવી દે તો હું પીએમ મોદીને છોડી દઇશ.
પીએમ મોદી ક્યારેય પણ ખેડૂત વિરોધી નહોઈ શકે ? : બાબા રામદેવ
રિપબ્લિક ટીવીના શોમાં યોગગુરુ બાબા રામદેવ આવ્યા હતા જ્યા તેમને ખુલ્લેઆમ પીએમ મોદીજીના વિરોધમાં બોલવા વાળાને પડકાર્યા હતા. તેમણે ચેલેન્જ આપી હતી મને એવો એક વ્યક્તિનું નામ બતાવી દો કે જે દેશનું નેતૃત્વ કરી શકે અમે પીએમ મોદીને છોડી દઈશું.
ખેડૂતો અને કૃષિ કાયદાઓ વિષે વાત કરતા બાબા રામદેવે કહ્યું હતું કે પીએમ મોદી ક્યારેય પણ ખેડૂત વિરોધી ન હોઈ શકે કેમ કે હું તેમને છેલ્લા બે દાયકાથી ઓળખુ છું અને જો સરકારની કૃષિ નીતિઓની વાત કરીએ તો હું કહી દેવા માંગુ છું કે હું પણ એક ખેડૂત પુત્ર છું અને મેં 25 વર્ષ સુધી ખેતી કરી છે જેનાથી હું ખેતીની તમામ ઝીણી બાબતોને સમજી શકું છું.
सारे विपक्षी नेता एक व्यक्ति का नाम बता दें जो पीएम मोदी से अच्छा नीति, नियत और चरित्र वाला हो : योग गुरु बाबा रामदेव
સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો વાત એમએસપીની કરીએ તો સરકારે કહી જ દીધું છે કે તેને છંછેડવામાં નહીં આવે અને તે લાગૂ જ રહેશે. આ બાબતને તો તેઓ લેખિતમાં આપવા માટે પણ તૈયાર છે. પ્રાઇવેટ મંડી અથવા સરકારી મંડી અથવા બીજા ગમે તે લોકો ખરીદવા વાળા છે આ કામ તો ચાલતું જ રહેશે, ખેડૂતો ને પણ તો ઓપન માર્કેટમાં માલ વેચવાનો અવસર મળવો જોઈએને.
બાબા રામદેવે વધુમાં જણાવ્યું હતું કે રસીને લઈને સૌ લોકોએ ધીરજ રાખવી જોઈએ અને કોઈના પણ કહેવામાં ન આવી જાઉં જોઈએ, મોદીજી એક સમાધાન પુરુષની રૂપમાં કામ કરી રહયા છે અને તેઓ દરેક પ્રશ્નનું સંધાન કરવા માંગે છે. જો કે જ્યા સુધી વેક્સિનનો પ્રશ્ન છે ત્યાં સુધી કહી દઉં કે રસી ન તો કોઈ પંથની હોય છે, ન સંપ્રદાયની કે ન કોઈ પાર્ટીની હું તો કહું છું કે કંપની પણ કોઇની નથી હોતી.
યુગો યુગોથી આવા વ્યક્તિત્વ તૈયાર થતાં હોય છે : બાબા રામદેવ
આ પછી તેમેં કહ્યું હતું કે બધા વિપક્ષના નેતા મળીને ખાલી મને એવા એક વ્યક્તિનું નામ આપી દે જે પીએમ મોદી કરતા વધુ સારી નીતિ અને ચાલ ચલગત વાળો હોય, હું કહું છું કે હું સૈદ્ધાંતિક અને વૈચારિક રીતે મોદીજીનો સમર્થક છું પણ હું તેમને છોડી દઈશ.હું કહી રહ્યો છું કે કોઈઓ વ્યક્તિ એમ જ માત્ર ભગવાનના એક વિધાનથી નથી બની જતા, યુગો યુગોથી એવા વ્યક્તિત્વ ઘડાતા હોય છે, મોદીજીનું કોઈ જ વિકલ્પ નથી, માત્રા ગાળો આપવાથી કશું જ થતું નથી.