વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી જેમને ભારતના બિલ ગેટ્સના નામે ઓળખવામાં આવે છે તેઓએ શુક્રવારે તેમના જીવનના 75 વર્ષ પૂરા કર્યા. પ્રેમજી ભારતના એ ધન કુબેરમાં સામેલ છે જેઓએ પોતાની સંપૂર્ણ કમાણી પરોપકારમાં ખર્ચ કરી. દુનિયા તેમને પરોપકારના કામ માટે જાણે છે. કોરોના મહામારીની શરૂઆતમાં PM CARES ફંડની શરૂઆત થઈ ત્યારે તેઓએ 1125 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જો કે તેમાંથી કેટલીક રકમ તેઓએ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની તરફથી ખર્ચ કર્યા હતા.
અઝીમ પ્રેમજીએ ગઈકાલે 75 વર્ષ પૂર્ણ કર્યા
ભારતના બિલ ગેટ્સના નામે જાણીતા છે
દુનિયા તેમને પરોપકારના કામ માટે જાણે છે
6.6 અરબ ડોલરની છે કુલ સંપત્તિ
અત્યારે તેમની કુલ સંપત્તિ 6.6 અરબ ડોલરની છે. જાણકારોનું કહેવું છે કે જો અઝીમ પ્રેમજીએ ફાઉન્ડેશનમાં પોતાની કુલ સંપત્તિનો 75 ટકા દાન ન કર્યું હોત તો તે આજે ભારતના બીજા નંબરના અમીર વ્યક્તિ હોત.
75 ટકા સંપત્તિ કરી દાન
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 2019ની સરખામણીએ ભારતીય અરબપતિઓની કુલ સંપત્તિમાં 23 ટકા ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ 406 અરબ ડોલરથી ઘટીને 313 અરબ ડોલર પહોંચી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે 2019માં પ્રેમજીએ 22.6 અરબ ડોલરની કુલ સંપત્તિમાં 75 ટકા દાન કરી. ત્યારબાદ તેમની સંપત્તિ 6.1 અરબ ડોલર પહોંચી હતી.
30 વર્ષ બાદ પૂરી કરી બેચલરની ડિગ્રી
પ્રેમજીની વાત ઘણી નિરાળી છે. 1966માં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ. માં અભ્યાસ કર્યો અને 21 વર્ષની ઉંમરે તેમને અચાનક પરત આવવું પડ્યું. તેમના પિતાનું નિધન થયું. અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા સતત કાયમ રહી. 30 વર્ષ બાદ તેઓએ સ્ટેનફોર્ડ યુનિ.થી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.
1977માં વિપ્રોની થઈ શરૂઆત
1977માં તેઓએ પિતાના બિઝનેસનું નામ બદલીને Wipro કર્યું. આજે તે ભારતની સૌથી મોટી ચોથી આઈટી કંપની છે. તેનું માર્કેટ કેપ લગભગ 8.4 અરબ ડોલરનું છે.
2001માં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની શરૂઆત
પરોપકારના કામ માટે તેઓએ 2001માં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની શરૂઆત કરી. તેનું લક્ષ્ય રૂરલ વિસ્તારમાં શિક્ષાના સ્તરમાં સુધારો લાવવાનું અને ગરીબોને શિક્ષિત કરવાનું છે. પ્રેમજીને દુનિયામાં પરોપકાર, સાદગી અને ઉચ્ચ મૂલ્યો માટે મોખરે ગણવામાં આવે છે.