બદલાતી સિઝનમાં મોટાભાગે ખાંસીથી લોકો પરેશાન થઇ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ વધારે વધી જાય છે. ખાંસી શરદી એક રક્ષાત્મક પ્રણાલી ચે જે તમારા શ્વાસ લેવાની નળીમાં ધૂળને સાફ કરવામાં મદદ કરે છે. ખાંસીની સારવાર માટે તમારે દવા ખાવાની કોઇ જરૂર નથી તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી ખાંસીની સારવાર કરી શકો છો. ખાંસીની સમસ્યા દૂર કરવા માટે મધ આદુ અને મુલેઠી ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે. એનું સેવન તમારી સૂકી ખાંસીને જલ્દી ઠીક કરે છે. આ ત્રણેયનું સેવન કરીને ખાંસીની સમસ્યાને કેવી રીતે દૂર કરશો.
મધ અને આદુ બંનેમાં ઔષધીય ગુણ હોય છે જે ઇમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. એની સાથે જ આદુમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે જે ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. આ ત્રણેય ચીજોનું સેવન માત્ર ખાંસી માટે નહીં પરંતુ ગળા માટે પણ ફાયદાકારક છે.
સૂકી ખાંસી દૂર કરવા માટે એક ચમચી મધમાં થોડો આદુનો જ્યૂસ મિક્સ કરી લો. એના થોડા સમય બાદ મોઢામાં મુલેઠીનો નાની ડંડી રાખી મૂકો. એનાથી તમારું ગળું પણ સૂકાશે નહીં. સાથે જ સૂકી ખાંસીથી આરામ પણ મળશે.
એનું સેવન કરવાથી ખાંસીની સાથે તમારું ગળું પણ ઠીક રહે છે. તમને કોઇ પણ ગળા સંબંધિત સમસ્યા રહેતી નથી.