કબજિયાતની તકલીફ સામાન્ય રીતે મોટાભાગના લોકોને થતી હોય છે, કબજિયાત થવા પાછળ કારણો અનેક છે જેમકે તમારી બિઝી લાઇફસ્ટાઇલ, ભોજનનું સમય ના સચાવવો વગેરે. કબજિયાત થઇ જતી હોય તો ખાવાપીવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક એવી ખાદ્યચીજો છે જે કબજિયાત દરમિયાન ખાવાથી રાહત મળે છે. તો કેટલાક એવી ખાદ્યચીજો છે જે મુશ્કેલી વધારે છે. એટલી વસ્તુઓથી દૂર જ રહેવુ જોઇએ.
શા કારણે થાય છે કબજિયાત
- ઓછું પાણી પીવું
- તળેલો ખોરાક ખાવો
- વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવુ
- મેટાબોલિઝમ નીચે હોવો
- સતત એક જગ્યાએ બેસી રહેવુ/ બેઠાડું જીવન
- એક જ પ્રકારનો ખોરાક લેવો નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કબજિયતાના ઉપાયો:
- કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવો ત્યારે તળેલો ખોરાક ના ખાવો જોઇએ. દ્રાશ ફાયબરથી ભરપૂર હોય છે. એક મુઠ્ઠી દ્રાશ રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે ખાલી પેટે ખાઇ લેવી. આ ઉપાય કબજિયાતમાં રાહત આપશે.
કબજિયાતના કારણે શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, પેટ ફૂલવુ વગેરે જેવી સમસ્યા થાય છે. આગળ જાણો, કઇ વસ્તુઓ ખાવાથી કબજિયાતની સમસ્યા વધી જાય છે.
- ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી ઘણા લોકોને કબજિયાતની સમસ્યાની થાય છે. ડેરી ઉત્પાદનોમાં રહેલું લેક્ટોઝ કબજિયાતનું કારણ બની શકે છે. કેટલાક ડેરી ઉત્પાદનોમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જેથી આ સમસ્યા વધી જાય છે. કબજિતાય થઇ હોય ત્યારે દૂધ અથવા તેમાંથી બનાવવાની આવેલી વસ્તુઓ ખાવાની ટાળવી જોઇએ..
- ચોખા પચવામાં સરળ નથી. સફેદ ચોખા બ્રાઉન રાઈસની સરખામણીમાં પચવામાં ભારે હોય છે. એટલે કબજિયાત થઈ હોય ત્યારે વ્હાઈટ રાઈસ કે તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાનું ટાળવુ જોઇએ.