બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / attention Please Dhanraj Nathwanis ironic tweet about illegal constructions next to Dwarka Jagatmandir
Mahadev Dave
Last Updated: 09:49 PM, 4 October 2022
ADVERTISEMENT
બેટ દ્વારકા ખાતે થયેલ દબાણો અંગે સરકારે સર્વે કરી મેગા ડીમોલીશન હાથ ધર્યું છે. જે કામગીરી આજે ચોથા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. આ દરમિયાન તંત્ર દ્વારા અનેક અનેક ગેરકાયદે દબાણોનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો છે. તેવામાં હવે રિલાયન્સના ધનરાજ નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું છે. જેમાં યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેર કાયદે બાંધકામો ખડકાઈ ગયા છે . આ બાંધકામ પર પણ નજર કરી કાર્યવાહી કરવાની માંગ ઊઠાવાઇ છે.
There are many illegal structures next to Jagat Mandir, Dwarka, attention please!!! https://t.co/8N1RcQO7L4
— Dhanraj Nathwani (@DhanrajNathwani) October 4, 2022
ADVERTISEMENT
જગતમંદિર આસપાસ ધ્યાન આપવા વધુ એક વખત ટકોર
વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા દેવાલય જગતમંદિર દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ બાંધકામ પર પણ નજર કરવા રિલાયન્સના નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું છે. આર્કોલોજી હસ્તકના આ મંદિરની સો મીટરની ત્રિજીયામાં કોમર્શીયલ અને રહેણાંક સહિતના અનેક બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા છે. અનેક વખત આ મુદ્દે ચર્ચાનો પણ વિષય બન્યો છે. પરંતુ નક્કર કાર્યવાહી ઉડીને આંખે વળગે તેવી એ છે કે દરેક વખતે તંત્ર આંખ આડા કાન કરતુ આવ્યું છે. હવે જયારે બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડીમોલીશન હાથ ધર્યું છે ત્યારે જગતમંદિર આસપાસ ધ્યાન આપવા વધુ એક વખત ટકોર કરવામાં આવી છે.
રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ માર્મિક ટવીટ કર્યું
યાત્રાધામ દ્વારકામાં દરરોજ દેશવિદેશથી ભાવિકોનો પ્રવાહ ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે. જેનો લાભ લઇ દબાણખોરો દ્વારા જગત મંદિર આજુબાજુ અનેક દબાણો ખડકી દેવામાં આવ્યા છે. ખુલ્લી જગ્યાઓ પર અનેક નાનામોટા વેપારી એકમો ખુલી ગયા છે. આ એકમોમાંથી મોટા ભાગના દબાણો ગેરકાયદે હોવાના અનેક વખત આક્ષેપ થયા છે. આ દબાણ હટાવવા અનેક વખત રજુઆતો પણ થઇ છે. છતાં તંત્રની ઉદાસીનતા વચ્ચે પરિસ્થિતિ વધારે વિકટ બનતી ચાલી છે. તાજેતરમાં બેટ દ્વારકા ખાતે થયેલ દબાણો અંગે સરકારે વ્યવસ્થિત સર્વે કરી મેગા ડીમોલીશન શરુ કર્યું છે. આ કાર્યવાહીનો કે જગતમંદિર આસપાસના દબાણોનો ઉલ્લેખ કર્યા વગર જ રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ માર્મિક ટવીટ કર્યું છે ધેર આર મેની ઈલીગલ સ્ટ્રક્ચર નેક્સ્ટ ટુ જગત મંદિર, દ્વારકા એટેન્સન પ્લીઝ, તે અંગેનું ટ્વિટ કર્યું હતું.
દ્વારકા જગતમંદિરની બાજુમાં અનેક ગેરકાયદે બાંધકામો છે. કૃપા કરીને ધ્યાન આપો ’ આ માર્મિક ટ્વીટની કેટલી અસર તંત્ર કે સરકાર પર થાય છે એ આવનાર સમય જ કહેશે , ઉલ્લેખનીય છે કે જામનગરમાં અમુક વિસ્તારમાં ચાલતી લુખ્ખાગીરી અને લાલપુર રોડની બિસ્માર હાલત બાબતે નથવાણીએ ટ્વીટ કર્યા બાદ તંત્રએ એક્શન લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.