હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ધાર્મિક રીતિ-રિવાજો અને પરંપરાઓ છે. જેનું આપણાં જીવનમાં ઊંડો મહત્વ છે. એવા બધા જ કર્મોની પાછળ ધાર્મિક મહત્વની સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આવી જ એક પ્રાચીન પરંપરા છે શંખ વગાડવો. જાણો શંખ વગાડવાની સાથે જોડાયેલી ખાસ વાતો
- શંખનાદ એટલે શંખ વગાડવો શુભ માનવામાં આવે છે. એટલે પૂજા-પાઠ સિવાય લગ્ન વિજય ઉત્સવ રાજ્યાભિષેક હવન અને કોઈના આગમનના સમયે સામાન્ય રીતે શંખ વગાડવામાં આવે છે.
- શંખ વગાડવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ. અનેક રોગના બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે. પ્રાચીન સમયમાં યુદ્ધનો આરંભ અને અંત શંખનાદથી જ થતો હતો. એવું કહેવાય છે કે તેની ધ્વનિ દુશ્મનોને નબળી કરે છે.
- શંખનાદમાં પ્રદૂષણને દૂર કરવાની અદભુત ક્ષમતા હોય છે. શંખનો અવાજ જ્યાં સુધી આવે છે ત્યાં સુધી અનેક બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અથવા તે નિષ્ક્રિય થઈ જાય છે.
- શંખની ધ્વનિ અનેક રોગોમાં લાભદાયક છે. શંખની ધ્વનિ સતત સાંભળવી હ્રદયના દર્દીઓ માટે લાભદાયક છે. તેનાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થાય છે.
- શંખનાદ પર થયેલા અનેક શોધમાં આ નિષ્કર્ષ સામે આવ્યું છે કે તેની તરંગો બેક્ટેરિયા નષ્ટ કરવા માટે એક પ્રકારથી શ્રેષ્ઠ અને સસ્તી ઔષધિ છે. તેનાથી હૈજા મલેરિયાના બેક્ટેરિયા નષ્ટ થાય છે.
- શંખની ધ્વનિથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. માનસિક તણાવ બ્લડપ્રેશર ડાયબિટીસ નાક કાન અને પાચનથી સંબંધિત રોગોમાં રક્ષા થાય છે.
- પૂજા-પાઠ પછી શંખમાં ભરેલું પાણી શ્રદ્ધાળુઓ પર છાંટવામાં આવે છે અને આપણે પીતા પણ હોઇએ છીએ. તેમાં બેક્ટેરિયા ખતમ કરવાની શક્તિ હોય છે સાથે જ તેમાં ગંધક ફોસ્ફરસ અને કેલ્શિયમના તત્વ પણ હોય છે. શંખ-જળ છાંટવાથી અથવા પીવાથી શરીરના અનેક રોગ દૂર થઈ જાય છે.